સૂર્યોદય ફાઉન્ડેશન અને સિગ્નિયાના સંયુક્ત ઉપક્રમે અવાજની ભેટ સાકાર કરવામાં આવી રહી છે. ધ ગિફ્ટ ઓફ સાઉન્ડ ઉપક્રમ અંતર્ગત સૂર્યોદય ફાઉન્ડેશન તરફથી મુંબઈ સહિત દેશમાંની મહાપાલિકાની શાળાઓના બાળકોની શ્રવણ ક્ષમતાનું પરીક્ષણ કરાય છે અને શ્રવણ દોષ ધરાવતા બાળકોને નિઃશુલ્ક શ્રવણ યંત્રો અપાય છે.આ ઉપક્રના ભાગરૂપ આર્થિક રીતે કમજોર શ્રવણ ક્ષમતા ઓછી હોય તેવા બાળકોને મફત શ્રવણ યંત્રો પૂરા પાડવા માટે 19 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી રાજભવન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ રમેશ બૈસને હસ્તે આ યંત્રો આપવામાં આવશે. આયોજન ગાયિકા પદ્મશ્રી અનુરાધ પૌડવાલ અને સૂર્યોદય ફાઉન્ડેશન દ્વારા કરાયું છે. પૌડવાલ આ સંસ્થાનાં સ્થાપક પણ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ