July 27, 2024
11 11 11 AM
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો
વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો
પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો
બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો
Breaking News
VIDEO – પવઈના હિરાનંદાની ગાર્ડન્સમાં હોર્ડિંગ ગેટ તૂટી પડવાથી વૃદ્ધ માણસ માંડ માંડ બચ્યો વધુ એક એક્ટરે છોડ્યો ‘તારક મહેતા’ શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું – રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો પ્રોપર્ટી પરના LTCG ટેક્સ અંગે મૂંઝવણ છે? આવકવેરા વિભાગે એક ઉદાહરણ સાથે આખી વાત સમજાવી પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ મટકી ફોડતા ગોવિંદાઓની સુરક્ષા માટે વીમા કવચ મળે તેવી માગણી અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રાષ્ટ્રવાદીના નેતાનું ફૅક વ્હૉટ્સઍપ એકાઉન્ટ બનાવી પૈસા ડીમાન્ડ કરતો વેપારી પકડાયો બોરીવલીના બાભઈ ખાતેનું સ્મશાનગૃહ શરૂ કરવાના મામલે સિનિયર સિટીઝન સામે નોંધાયો ગુનો

ધર્મમંથન – પાપોથી મુક્ત કરે છે પાપમોચિની એકાદશીનું વ્રત, આ દિવસે શ્રીહરીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય

પંચાંગ અનુસાર આ વર્ષે પાપમોચિની એકાદશીનું વ્રત 5 એપ્રિલ 2024 અને શુક્રવારના દિવસે રાખવામાં આવશે. આ દિવસે વ્રત કરવાની સાથે કેટલાક ઉપાય પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.

વર્ષ દરમિયાન 12 એકાદશી આવે છે. જેમાંથી દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. જેમાં ફાગણ મહિનામાં આવતી એકાદશીને પાપમોચિની એકાદશી કહેવાય છે. આ દિવસે શ્રી હરિની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારના પાપથી મુક્તિ મળી જાય છે. હિન્દુ ધર્મમાં આ વ્રતને વિશેષ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવ્યું છે.

પંચાંગ અનુસાર આ વર્ષે પાપમોચિની એકાદશીનું વ્રત 5 એપ્રિલ 2024 અને શુક્રવારના દિવસે રાખવામાં આવશે. આ દિવસે વ્રત કરવાની સાથે કેટલાક ઉપાય પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.

એકાદશીના ઉપાય

1. ધાર્મિક માન્યતા અનુસાર પાપમોચિની એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે. તુલસીમાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે. સવારે તુલસીની પૂજા કરવી અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો અચૂક કરવો.

2. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી અને પછી તેમની સામે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો.

3. જો તમને ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ મેળવવી હોય તો પાપમોચિની એકાદશીના દિવસે જ્યારે દીવો કરો ત્યારે તેની નીચે કેટલાક ચોખાના દાણા રાખી દો. જ્યારે દીવો ઓલવાઈ જાય તો તે ચોખાને લઈને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી જીવનમાં આર્થિક સંકટ નહીં આવે. 

4. જો દાંપત્ય જીવનમાં સમસ્યા હોય તો પાપમોચિની એકાદશીના દિવસે પતિ પત્નીએ સાથે મળીને તુલસી પૂજન કરવું. સાથે જ તુલસીમાં એક લાલ દોરો બાંધવો. તેનાથી સંબંધમાં મજબૂતી આવશે અને આપસી પ્રેમ વધશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Papmochani Ekadashi 2024: 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us