September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

ત્ર્યંબકેશ્વર મંદિરની સામે ભીડે હિંદુ ભાવનાઓને ભડકાવવાનો કર્યો પ્રયાસ, દેવેન્દ્ર ફડણવીસે SIT તપાસના આદેશ આપ્યા

મંદિર પ્રશાસને આ સમગ્ર મામલાની ફરિયાદ ત્ર્યંબકેશ્વર પોલીસ સ્ટેશનમાં કરી હતી અને કહ્યું હતું કે ઉત્તરી દરવાજા પર સ્પષ્ટ રીતે એક નોટિસ લખેલી છે કે મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકોએ બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાં ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરીથી કેટલાક અન્ય ધર્મ લોકોના પ્રવેશના કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ આદેશ જાહેર કર્યો છે. એસઆઈટીની રચના અધિક પોલીસ મહાનિર્દેશક સ્તરના અધિકારીના નેતૃત્વમાં કરવામાં આવશે. આ SIT માત્ર મંદિરમાં આ વર્ષે બનેલી ઘટનાની તપાસ નહીં કરે, પરંતુ ગયા વર્ષે બનેલી ઘટનાની પણ તપાસ કરશે.

મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે

ગત વર્ષે પણ કેટલાક લોકોએ ત્ર્યંબકેશ્વર મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. મંદિર પ્રશાસને આ સમગ્ર મામલાની ફરિયાદ ત્ર્યંબકેશ્વર પોલીસ સ્ટેશનમાં કરી હતી અને કહ્યું હતું કે ઉત્તરી દરવાજા પર સ્પષ્ટ રીતે એક નોટિસ લખેલી છે કે મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે, તેમ છતાં કેટલાક લોકોએ બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

ગયા વર્ષે પણ અન્ય ધર્મના લોકોએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો

13 મી મેના રોજ મંદિર પરિસરમાં અન્ય ધર્મના કેટલાક લોકોએ ભગવાનની મૂર્તિને ધૂપ બતાવવાનો આગ્રહ શરૂ કર્યો હતો. મંદિરના પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો. જેના કારણે તણાવ સર્જાયો હતો. એક દિવસ બાદ એટલે કે રવિવારે પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી બંને પક્ષના લોકોને સમજાવીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

ત્ર્યંબકેશ્વર મંદિર આદ્ય જ્યોતિર્લિંગ તરીકે વિખ્યાત છે

મૂળ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાતા ત્ર્યંબકેશ્વર મંદિરનું હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે ઘણું મહત્વ છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે વારંવાર ષડયંત્ર હેઠળ આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તરના પ્રવેશદ્વાર પર મંદિર પ્રશાસન તરફથી લેખિત માહિતી હોવા છતાં અન્ય ધર્મના લોકો બળજબરીથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંદિરના પૂજારીઓ તરફથી શંકાસ્પદ લોકો સામે કડક કાર્યવાહીની માગ કર્યા બાદ, એફઆઈઆર નોંધવામાં આવી છે અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us