મુંબઇ યુનિવર્સિટીમાં ૧૯૬૩ની સાલમાં સ્થપાયેલ સંસ્કૃત વિભાગ આ વર્ષે ૬૦મું વર્ષ ઉજવી રહ્યું છે. તે નિમિત્તે ચાર નવા માસ્ટર્સ કોર્સ મુંબઇ યુનિવર્સિટીમાં ઉમેરાયા છે. તે સાથે જ ભગવદ્ગીતાનો એક વર્ષનો ડિપ્લોમાં કોર્સ પણ મુંબઇ યુનિવર્સિટીમાં શરૃ થવા જઇ રહ્યો છે.

નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (એનઇપી) ૨૦૨૦માં ભારતીય જ્ઞાાન પધ્ધતિ કે પરંપરા (આઇકેએસ)ને પણ મહત્વ અપાયું છે. આથી ભગવદ્ગીતાના આ કોર્સમાં ધો. ૧૨ પાસ ગમે તે વ્યક્તિ પ્રવેશ મેળવી શકશે. ભગવદ્ગીતાને માત્ર ધાર્મિક ગ્રંથ તરીકે ન જોતાં તેમાંથી ભાષાકીય, સામાજિક દ્રષ્ટિએ, મેનેજમેન્ટની દ્રષ્ટિએ તથા માનસશાસ્ત્રીય (સાઇકોલોજી), ફિલસૂફી અને નૈતિક મૂલ્યો (એથિક્સ)ની દ્રષ્ટિએ  પણ અભ્યાસ કરાવાશે. ભગવદ્ગીતાને જોવાની અને સમજવાની દ્રષ્ટિ દરેકની જુદી હોય છે. આથી તે બાબતને ધ્યાનમાં લઇને પણ અભ્યાસ કરાવાશે. પ્રથમ બેચ ૬૦  વિદ્યાર્થીઓના એડમિશનથી શરૃ થશે, એવું સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. શકુંતલા ગાવડેએ આપી છે.

તે ઉપરાંત જે અન્ય ચાર માસ્ટર્સ કોર્સ શરૃ થવાના છે, તેમાં એમએ યોગશાસ્ત્ર, એમએ અર્થશાસ્ત્ર, એમએ આર્ષ મહાકાવ્ય- પુરાણ અને એમએ અભિજાત સંસ્કૃત સાહિત્યનો સમાવેશ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us