એક મોટો નિર્ણય લેતા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 31 માર્ચ, રવિવારે પણ બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. RBIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે.

એક મોટો નિર્ણય લેતા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 31 માર્ચ, રવિવારે પણ બેંકો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. RBIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે 31 માર્ચ, 2024 રવિવાર હોવા છતાં, તમામ બેંકો ખુલ્લી રહેશે. વર્તમાન નાણાકીય વર્ષ 2023-24નો અંતિમ દિવસ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વ્યવહારો એ જ નાણાકીય વર્ષમાં રેકોર્ડ કરવા 
આરબીઆઈએ કહ્યું છે કે નાણાકીય વર્ષનું વાર્ષિક સમાપન 31 માર્ચે છે. તેથી તમામ બેંકો ખુલ્લી રહેશે. તમામ બેંકોને મોકલવામાં આવેલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષના અંત સુધી જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તે એ જ વર્ષમાં નોંધાયેલા હોવા જોઈએ, તેથી તમામ બેંકોને કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. 31 માર્ચ, રવિવારના રોજ તમામ બેંકો તેમના નિયમિત સમય મુજબ ખુલશે અને બંધ થશે. શનિવારે પણ તમામ બેંકો ખુલ્લી રહેશે. આ સિવાય NEFT અને RTGS ટ્રાન્ઝેક્શન પણ મધરાત 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત સરકારી ચેકના ક્લિયરિંગ માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવશે. જોકે, શેરબજાર બંધ રહેશે.

તમામ આવકવેરા કચેરીઓ ખુલ્લી રહેશે
અગાઉ આવકવેરા વિભાગે તેની તમામ ઓફિસો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો હતો. વિભાગે ગુડ ફ્રાઈડે સહિત શનિવાર અને રવિવારની રજાઓ પણ રદ કરી હતી. આવકવેરા વિભાગે ગુડ ફ્રાઈડેના કારણે આ મહિને આવતા લાંબા વીકએન્ડને રદ કરી દીધા હતા. ગુડ ફ્રાઈડે 29 માર્ચે છે. 30મી માર્ચે શનિવાર છે અને 31મી માર્ચે ફરી રવિવાર છે. તેથી જ 3 દિવસની લાંબી રજા હતી. જેના કારણે નાણાકીય વર્ષના અંતે વિભાગના અનેક કામો અટવાઈ જશે. નાણાકીય વર્ષ 2023-24 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. આ કારણોસર, આવકવેરા વિભાગે કહ્યું છે કે દેશભરમાં IT કચેરીઓ 29, 30 અને 31 માર્ચે ખુલ્લી રહેશે.

લાંબા વીકએન્ડની કોઈ અસર નહીં થાય
માર્ચના છેલ્લા સપ્તાહમાં લાંબો વીકએન્ડ છે. પરંતુ તમને જણાવી દઈએ કે રજા હોવા છતાં આવકવેરા કચેરીઓ અને આવકવેરા સેવા કેન્દ્રો ખુલ્લા રહેશે. આ એટલા માટે છે કે લોકો કોઈપણ વિલંબ વિના સરળતાથી તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. આ વખતે 29 માર્ચ 2024ના રોજ ગુડ ફ્રાઈડે છે. 30 માર્ચે શનિવાર છે અને 31 માર્ચે રવિવાર છે. બીજી તરફ, 31 માર્ચ, 2024 ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ છે, જેના કારણે આવકવેરા વિભાગે લોંગ વીકએન્ડ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us