September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

Akshaya Tritiya 2023: તમે ખરીદેલું સોનુ શુદ્ધ જ છે તેની ખાતરી કેવી રીતે કરશો? વાંચો વિગતવાર અહેવાલ

BIS કેર એપની એક ખાસ વિશેષતા એ છે કે જો તમે તમારી જ્વેલરીની શુદ્ધતાથી સંતુષ્ટ નથી તો તમે આ એપ દ્વારા જ ફરિયાદ પણ નોંધાવી શકો છો. ધારો કે તમે દુકાનમાંથી 24 કેરેટનો સોનાનો સિક્કો ખરીદ્યો છે. પરંતુ જ્યારે તમે તેની શુદ્ધતા તપાસી તો ખબર પડી કે તે માત્ર 22 કેરેટ છે. આવી સ્થિતિમાં, તમે BIS કેર એપની ફરિયાદ પર ક્લિક કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

આજે દેશભરમાં અક્ષય તૃતીયની ઉજવણી કરવામાં આવશે. અક્ષય તૃતીય પર સોનું, ચાંદી અથવા હીરા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, મોટાભાગના લોકો આ શુભ અવસર પર સોનું ખરીદવાનું પસંદ કરે છે. અક્ષય તૃતીયના દિવસે ગ્રાહકોને રીઝવવા માટે માત્ર મોટા સ્ટોર્સ જ નહીં પરંતુ નાના વેપારીઓ પણ સોના અને ચાંદીની ખરીદી પર જબરદસ્ત ઑફર્સ આપે છે. આ જ કારણ છે કે  લોકો અક્ષય તૃતીય પર સોનું અને ચાંદી ખરીદવા આકર્ષાય છે અને ખરીદી કરે છે. જો તમે પણ અક્ષય તૃતીયના અવસર પર સોનું ખરીદવા જઈ રહ્યા છો અથવા તાજેતરમાં સોનું ખરીદ્યું છે તો તમે ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા તેની શુદ્ધતા ચકાસી શકો છો.

તમે ઘરે બેઠા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

આપણા દેશમાં સોના-ચાંદીની ખરીદી અક્ષય તૃતીયના થોડા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. પરંતુ આ શોપિંગ સીઝનમાં સોનાની શુદ્ધતા શોધવી પણ ખૂબ જ જરૂરી છે.  અક્ષય તૃતીયના અવસર પર દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં લોકો પાસે તેની તપાસ કરવા માટે પૂરતો સમય નથી અને છેતરપિંડી કરનારા દુકાનદારો આવી તકોનો લાભ લઈ ગ્રાહકોને ભેળસેળ કે નકલી સોનું વેચે છે. આવી સ્થિતિમાં જો તમને તમારા સોના વિશે શંકા છે અને તમે તેની શુદ્ધતા તપાસવા માંગો છો તો તમે BIS કેર એપ્લિકેશન દ્વારા તમારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો.

BIS Care App નો ઉપયોગ કેવી રીતે કરવો

  • તમારા મોબાઈલ ફોનના એપ સ્ટોર પર જઈને BIS Care App ડાઉનલોડ કરો અને જરૂરી વિગતો ભરીને લોગીન કરો.
  • એપમાં લોગ ઈન કર્યા પછી ‘Varify HUID’ પર ક્લિક કરો. હવે એપમાં એક નવું પેજ ખુલશે જ્યાં તમને 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ દાખલ કરવાનું કહેવામાં આવશે.
  • હવે તમારે તે બોક્સમાં તમારા દાગીના પર લખેલો 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ નાખવો પડશે. તમારા દાગીના પર લખેલા નંબરના છેલ્લા 6 અંક HUID છે જેમાં અંગ્રેજી અક્ષરો અને કેટલાક નંબરો પણ સામેલ છે.
  • આ બોક્સમાં તમે 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ સબમિટ કરતાની સાથે જ તમને તમારા દાગીનાની સંપૂર્ણ વિગતો મળી જશે.

BIS કેર એપની એક ખાસ વિશેષતા એ છે કે જો તમે તમારી જ્વેલરીની શુદ્ધતાથી સંતુષ્ટ નથી તો તમે આ એપ દ્વારા જ ફરિયાદ પણ નોંધાવી શકો છો. ધારો કે તમે દુકાનમાંથી 24 કેરેટનો સોનાનો સિક્કો ખરીદ્યો છે. પરંતુ જ્યારે તમે તેની શુદ્ધતા તપાસી તો ખબર પડી કે તે માત્ર 22 કેરેટ છે. આવી સ્થિતિમાં, તમે BIS કેર એપની ફરિયાદ પર ક્લિક કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us