મુંબઈ મહાપાલિકાએ સિમેન્ટ-કોંક્રિટના રસ્તાના કામ મોટા પ્રમાણમાં શરૂ કર્યા છે. રસ્તાનું કોંક્રિટીકરણનું કામ શ્રેષ્ઠ દરજ્જાનું થાય એ માટે મહાપાલિકા પ્રશાસન વિવિધ ઉપાયયોજના અમલમાં મૂકે છે. એના જ એક ભાગ તરીકે રસ્તા બાંધવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, રસ્તા બાંધતા સમયે શું કરવું અને શું ન કરવું, તેમ જ ફિલ્ડ પર કામ કરતા એન્જિનિયરની શંકાનું નિરાકરણ થાય એ માટે મહાપાલિકા પ્રશાસને એક દિવસની બે વર્કશોપનું આયોજન કર્યું છે.
પવઈ સ્થિત આઈઆઈટી મુંબઈ ખાતે શનિવારે 27 એપ્રિલના સવારના 10 થી બપોરે 4 વાગ્યા સુધી આ વર્કશોપ થશે. મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીની મુખ્ય ઉપસ્થિતિમાં આ વર્કશોપનો આરંભ થશે. આઈઆઈટી મુંબઈના આર્કિટેકચર એન્જિનિયરીંગના નિષ્ણાત પ્રોફેસર ડો. કે.વી. કૃષ્ણરાવ મહાપાલિકાના એન્જિનિયરોનું માર્ગદર્શન કરશે. આ વર્કશોપમાં મહાપાલિકાના 150 એન્જિનિયરોને સિમેન્ટ-કોંક્રિટના રસ્તા બાંધવાનું અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રશિક્ષણ આપવામાં આવશે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/21-10.jpg)
મુંબઈ મહાપાલિકાએ પોતાના કાર્યક્ષેત્રમાં તમામ મુખ્ય રસ્તાઓ ખાડામુક્ત કરવા માટે સિમેન્ટ-કોંક્રિટકરણ કરવાનું કામ શરૂ કર્યું છે. એની અસરકારક અમલબજાવણી માટે એન્જિનિયરો સતત કામ કરી રહ્યા છે. કોંક્રિટના રસ્તા બાંધવાના કામ વધુ દરજ્જાવાળા અને ગુણવત્તાવાળા થાય, અત્યાધુનિક ટેકનોલોજીનો વપરાશ, ટેકનિકલ જ્ઞાન સાથે જ રસ્તા બાંધવા શું કરવું અને શું ન કરવું, રોજિંદી કાર્યપ્રણાલીમાં સુધારા જેવા વિવિધ મુદ્દાઓની માહિતી એન્જિનિયરોને મળે એ માટે મહાપાલિકા પ્રશાસને આ એક દિવસની વર્કશોપનું આયોજન કર્યું છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/29-30.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)