September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

અંધેરીમાં પાણીની પાઈપલાઈન ફૂટી : લાખો લિટર પાણી વેડફાયું

વરસાદ ગાયબ હોવાથી મુંબઈગરાના માથા પર ફરી પાણીકાપનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે બુધવારે બપોરના અંધેરી (પશ્ર્ચિમ)માં ઓશિવરામાં ૧,૨૦૦ મિલિમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. તેને કારણે પાણીપુરવઠો ઠપ્પ થતા સ્થાનિક નાગરિકોને પાણીના ધાંધિયા થઈ ગયા હતા. યુદ્ધના ધોરણે પાલિકાએ પાઈપલાઈનનું સમારકામ હાથ ધર્યું હતું.

પાલિકાના પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુજબ ઓશિવરામાં આદર્શ નગર રોડ પર ટ્વિંકલ ઍપાર્ટમેન્ટ સામે બુધવારે બપોરના પોણા ત્રણ વાગ્યાની આસપાસ ૧,૨૦૦ મિલિમીટર વ્યાસની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. પાઈપલાઈન ૧,૨૦૦ મિલિમીટર વ્યાસની હોવાથી તેમાં પાણીનો ફોર્સ ભારે માત્રામાં હતો. ભંગાણ પડ્યા બાદ મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર આવી ગયું હતું. ઓશિવરાના સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ પાઈપલાઈનમાંથી મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો અને રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા.

પાણીપુરવઠા ખાતાના જણાવ્યા મુુજબ પાઈપલાઈનમાં ભંગાણ પડ્યા બાદ તેમાંથી થતો પાણીપુરવઠો બંધ કરીને પાણીનું ગળતર રોકવામાં આવ્યું હતું. તેમ જ યુદ્ધના ધોરણે પાણીની પાઈપલાઈનનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું.
પાલિકાના કહેવા મુજબ સમારકામ પૂરું થાય નહીં ત્યાં સુધી અંધેરીના મિલ્લત નગર, એસવીપી નગર-મ્હાડા અને લોખંડવાલા પરિસરમાં પાણીપુરવઠો બંધ રહ્યો હતો. ગુરુવારે પાણીપુરવઠો પૂર્વવત થવાની શક્યતા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us