મુંબઈને અડીને આવેલા મીરા ભાયંદરમાં આઝાદ નગર શ્રીરામ નગર ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આગ ખૂબ જ ગંભીર છે અને તે વહેલી સવારે લાગી હતી.
મહારાષ્ટ્રમાં અવાર-નવાર આગની ઘટના બને છે. મુંબઇની શ્રી રામનગર ઝુંપડપટ્ટીમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. ઝુંપડપટ્ટીમાં થોડી-થોડી વારે પ્રચંડ બ્લાસ્ટ થઇ રહ્યા છે. આ આગ ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની આશંકા જણાઈ રહી છે. આગની ઘટનામાં અત્યાર સુધીમાં તો કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ આવ્યા નથી.
ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે
મુંબઈને અડીને આવેલા મીરા ભાયંદરમાં આઝાદ નગર શ્રી રામ નગર ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, લાગેલી આગ ખૂબ જ ગંભીર છે અને તે વહેલી સવારે લાગી હતી. હાલમાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સતત ધડાકાના અવાજો સંભળાય રહ્યા છે. ઘરો અને દુકાનોમાં હાજર સિલિન્ડર ફાટી જવાની આશંકા છે. ઈજાગ્રસ્ત લોકો વિશે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH