September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

થાણેના એક સ્ટેડિયમમાં ઈલેક્શન વખતે જ તૂટેલું ઈવીએમ અને હજારો વોટિંગ કાર્ડ મળી આવતાં ખળભળાટ

ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) અને વીવીટીમના મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો હોવા છતાં વિપક્ષ અને મતદારોમાં હજુય ઈવીએમની વેલિડિટી (ખરાઈ) પ્રશ્ને હજુય અવઢવ પ્રવર્તે છે. આ દરમ્યાન, થાણેના દાદાજી કોંડદેવ સ્ટેડિયમમાં એક તુટયુ ફુટયુ ઈવીએમ મશીન અને હજારો વોટિંગ કાર્ડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

જિલ્લા કલેકટર અશોક શિનગારેએ મિડીયા સાથેની વાતચીતમાં કન્ટ્રોલ યુનિટ મળ્યું હોવાનું કહ્યું હતું પણ ઈવીએમ વિશે, સ્પષ્ટપણે કાંઈ કહેવાનું ટાળ્યું હતું. એમના જણાવવા મુજબ પાલિકાના ડેપ્યુટી કમિશનરની માગણી પર જ્યારે ઓરડો ખોલાયો ત્યારે એમાં એક ટ્રંકમાં કન્ટ્રોલ યુનિટ પડેલુ દેખાયું. આ ઓરડામાં ગ્રામ પંચાયત, જિલ્લા પરિષદ સહિતની ભૂતકાળની વિવિધ ચૂંટણીઓને લગતા દસ્તાવેજો રખાયા છે. એનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાયું છે. એ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી અપાશે. અત્યારે ઈવીએમને હાલની લોકસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો એમણે કર્યો હતો. ઓરડાની સુરક્ષા માટે થાણે પોલીસને ગોઠવી દેવાઈ છે.

અત્યારે દાદોજી કોંડદેવ સ્ટેડિયમનું રિપેરીંગ ચાલી રહ્યું છે. અહીં પ્રેક્ષકો માટેના સ્ટેન્ડ નીચે કેટલાંક ખાલી રૂમ્સ છે. એમાંથી એક રૂમમાં ચૂંટણી પંચ દ્વારા અમુક સામાન રખાયો છે. ૨૦૧૪ પછી એ ઓરડાને કોઈએ અત્યાર સુધી ખોલ્યો નહોતો. ગુરુવારે રિપેરીંગ માટે થાણે પ્રશાસનના એક અધિકારીએ ચાવીથી રૂમનું તાળું ખોલવાનો પ્રયાસ કર્યો પણ એ ખુલ્યું નહિ. એના તૂટયા ફુટયા દરવાજો જેમ તેમ કરી ખોલાયો. એટલે રૂમમાંથી સીલબંધ પરબીડિયા, વોટર્સ આઈ કાર્સ અને ઈવીએમ મળ્યું. એ વખતે તલાટી, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પોલીસ ત્યાં હાજર હતી. ઈવીએમ મળતા બધા આશ્ચર્યમાં પડી ગયા હતા.

એનસીપી (શરદ પવાર ગુ્રપ)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પોતાના પ્રત્યાઘાતમાં કહ્યું હતું કે આ રીતે ઈવીએમ મળતા ઘણા પ્રશ્નો ઉભા થાય છે. ચૂંટણી માટે જેટલા ઈવીએમ આવે છે એ બધા મતગણતરી પૂરી થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરને પાછા આપવા પડે છે. તો પછી આ ઈવીએમ ક્યાંથી આવ્યું?

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us