લોકસભા ચૂંટણી 2024ના પરિણામ પછી ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. આ સાથે જ અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ત્યારે NDAની આ સરકારમાં ભાજપના 61 સાંસદો સહિત સાથી પક્ષોના 10 સાંસદોએ પણ શપથ લીધા છે. ત્યારે એકનાથ શિંદેની એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારમાં સ્વતંત્ર પ્રભારી સાથે રાજ્યમંત્રી મળવા પર નારાજગી વ્યક્ત કરી છે.

એકનાથ શિંદેની શિવસેનાના ચીફ વ્હીપ શ્રીરંગ બાર્નેએ કહ્યું કે, “અમે કેબિનેટ બર્થની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાનના પાંચ સાંસદ છે, જીતનરામ માંઝી એક સાંસદ, જેડીએસના બે સાંસદ ચૂંટાયા છે, તેમ છતાં તેમને દરેકને એક કેબિનેટ મંત્રી પદ મળ્યું છે. સાત લોકસભા બેઠકો હોવા છતાં શિવસેનાને સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રીનું એક જ મંત્રી પદ કેમ મળ્યું? શિવસેના ભાજપનો જૂનો સાથી છે, તેના કારણે શિવસેનાને કેબિનેટ મંત્રાલય મળવું જોઈએ.”

જણાવી દઈએ કે, મોદી કેબિનેટમાં 72 મંત્રીઓએ શપથ લીધી છે. આમાં 30 મંત્રી કેબિનેટનો ભાગ હશે. જ્યારે 5 મંત્રીઓને સ્વતંત્ર પ્રભાર અને 36 સાંસદોને રાજ્ય મંત્રીનું પદ મળ્યું છે. આજે સાંજ સુધીમાં મંત્રીઓના પોર્ટફોલિયોને લઈને લિસ્ટ જારી થઈ શકે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us