નવી મુંબઈના વાશી ખાતે એક ફાઈનાન્સ કંપની સાથે સંકળાયેલા બે આરોપીઓ સામે લોન લેવા માટે ૩૨ ઈચ્છુકો પાસેથીે રુ. ૧૫.૧૪ લાખની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ કહ્યું હતું. બંને આરોપીઓએ છેલ્લા એક વર્ષથી ૩૨ પિડીતોને લોન આપવાનું વચન આપી લલચાવી રહ્યા હતા અને કમિશન વસૂલી કરી પોતાનો ફાયદો કરી રહ્યા હતા.
આ મામલે બંને આરોપીએ અત્યાર સુધીમાં પીડીતો પાસેથી કથિત રીતે રુ. ૧૫.૧૪ લાખનું કમિશનના નામે છેતરપિંડી કરી હતી. જેમાં ૩૨ લોકોને ખાલી વચનો જ મળતા રહેતા, પરંતુ લોન ક્યારેય મળી ન હતી. છેતરપિંડી કર્યા બાદ બંને આરોપીઓએ પાછળથી તેમની કામગીરી બંદ કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા. બંને આરોપીઓએ તેમના સંપર્ક નંબરો પણ બંધ કરી દીધા હતા, એમ ફરિયાદીઓએ તેમની નોંધાયેલી ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું.
બંને આરોપી ફરાર થયા બાદ ૩૨ લોકોએ વાશી પોલીસનો સંપર્ક કર્યો હતો અને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વાશી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ નોંધ્યો હતોે. આ મામલામાં હાલ તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY