રેલ્વે ટ્રેક (Railway Track) જોઈને લોકોને વારંવાર પ્રશ્ન થાય છે કે રેલવેના પાટાને કાટ કેમ નથી લાગતો. આ પાટા હંમેશા ચમકતા જ રહે છે. તો બીજી તરફ જ્યારે ખુલ્લામાં રાખવામાં આવેલી લોખંડની કોઈપણ વસ્તુને થોડા સમય પછી કાટ લાગી જાય છે. કેટલાક લોકોને એવા વિચાર આવે કે ટ્રેનો પાટા પર દરરોજ દોડે છે, જેથી તેને કાટ લાગતો નથી. પરંતુ તેનું સાચું કારણ બીજું જ કઈંક છે.
લોખંડને કાટ કેમ લાગે છે?
જો લોખંડની કોઈ વસ્તુ ખુલ્લામાં રાખવામાં આવે તો તેને થોડા દિવસોમાં કાટ લાગતા તેને ભંગારમાં બદલાઈ જતાં સમય લાગતો નથી, પરંતુ ટ્રેનના પાટાના કિસ્સામાં આવું નથી થતું. રેલ્વે ટ્રેક વર્ષોથી એવાને એવા જ રહે છે. લોખંડને કાટ લાગવા પાછળ એક કારણ છે. જ્યારે સ્ટીલ અથવા સ્ટીલથી બનેલી વસ્તુઓ ઓક્સિજન અને ભેજના સંપર્કમાં આવે છે, ત્યારે તેના પર આયર્ન ઓક્સાઇડ જામી જાય છે. આ એક બ્રાઉન લેયર છે, જેને કાટ કહેવામાં આવે છે. જેના કારણે લોખંડ ધીમે-ધીમે ખરાબ થવા લાગે છે.
રેલ્વે ટ્રેકને કેમ કાટ લાગતો નથી?
લોખંડને કાટ લાગવાનું કારણ જાણ્યા પછી સવાલ થાય છે કે ટ્રેનના પાટા પણ ખુલ્લા આકાશ નીચે જમીન પર પડેલા રહે છે. તેને હવા, પાણી અને ભેજ પણ લાગે જ છે, તો પછી પાટા પર કાટ ન લાગવાનું કારણ શું છે?
રેલવે ટ્રેક બનાવવામાં વપરાય છે ખાસ ધાતુ
રેલ્વે ટ્રેક બનાવવામાં એક ખાસ ધાતુ મેંગેનીઝ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. તેને કાટ લાગતો નથી. રેલવેના પાટાને સ્ટીલ અને મેંગલોયનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે. સ્ટીલ અને મેંગલોયના મિશ્રણને મેંગેનીઝ સ્ટીલ કહેવામાં આવે છે. તેમાં 12% મેંગેનીઝ અને 0.8% કાર્બન રહેલો હોય છે. જેના કારણે ટ્રેક પર ઓક્સિડેશનની અસર થતી નથી અને ઘણા વર્ષો સુધી રેલવે ટ્રેકને કાટ લાગતો નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp