September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

થાણે અને મુલુંડ વચ્ચે નવું સ્ટેશન હજી ન બનવા માટે મધ્ય રેલવેનું સ્પષ્ટીકરણ

હજી પણ રેલવેને રાજ્ય સરકાર તરફથી જમીન અને ભંડોળ હસ્તાંતરિત કરવામાં આવ્યા નથી. તેથી થાણે અને મુલુંડ વચ્ચે નવા સ્ટેશનનું કામ પણ શરૂ થઈ શક્યું નથી એવી માહિતી મધ્ય રેલવે તરફથી આપવામાં આવી છે. રેલવેના મુંબઈ વિભાગીય વ્યવસ્થાપક રજનીશ ગોયલે આ બાબતે સ્પષ્ટીકરણ આપ્યું હતું.

થાણે અને મુલુંડ વચ્ચે નવું સ્ટેશન બાંધવું મુખ્યમંત્રી એકનાથ શિંદેનો ડ્રીમ પ્રોજેક્ટ છે એમ જણાવવામાં આવ્યું હતું પણ રાજ્ય સરકાર તરફથી જ વિલંબ થતો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. મહાપાલિકાની ચૂંટણીથી જ એટલે કે 2017માં થાણે અને મુલુંડ વચ્ચે નવું સ્ટેશન બાંધવાની ઘોષણા કરવામાં આવી હતી. એ પછી થાણે મેન્ટલ હોસ્પિટલની જગ્યામાં નવું સ્ટેશન બાંધવામાં આવશે એવી ઘોષણા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી હતી. એના માટે મુંબઈ હાઈ કોર્ટે થાણે મેન્ટલ હોસ્પિટલની જગ્યાના હસ્તાંતરણ પર મૂકેલો સ્ટે પણ ઉઠાવવાનો આદેશ આપ્યો હતો. તેથી રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મધ્ય રેલવેને જમીન મળવાનો માર્ગ ખુલ્લો થયો હતો. પણ હજીયે જમીન રેલવેને હસ્તાંતરિત કરવામાં આવી નથી એમ જણાવવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી શિંદેએ થાણે મહાપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આ નવા સ્ટેશન માટે 289 કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કર્યું હતું. એના માટે થાણે મેન્ટલ હોસ્પિટલની 72 એકરમાંથી 14 એકર કરતા વધુ જમીન રેલવે માટે મંજૂર કરવામાં આવી હતી. આ નવા રેલવે સ્ટેશન માટે 14.83 એકર જમીન વાપરવામાં આવશે. નવું રેલવે સ્ટેશન ઊભું થયા પછી થાણે રેલવે સ્ટેશનના પ્રવાસીઓ 31 ટકા અને મુલુંડ રેલવે સ્ટેશનના 21 ટકા પ્રવાસીઓ ઓછા થશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. અત્યારની સ્થિતિમાં થાણે સ્ટેશનથી દરરોજ લગભગ સાડા સાત લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us