ચેમ્બુરમાં નાણાં ધીરનાર પાસેથી લાંચ માગવા અને સ્વીકારવા બદલ મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ત્રણ પોલીસ અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. એસીબીએ જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.આ કેસમાં નોંધાયેલા ત્રણ પોલીસ કર્મચારીઓની ઓળખ પોલીસ ઈન્સ્પેક્ટર મુરલીધર કર્પે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર રાહુલ જાધવ અને કોન્સ્ટેબલ ગણેશ મોઝાર તરીકે થઈ છે. તેઓ બધા મુંબઈના ચેમ્બુરના આરસીએફ પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા, પરંતુ કર્પેની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી.
એક અધિકારીએ કહ્યું, ફરિયાદી ઊંચા વ્યાજ દરે નાણાં ઉછીના આપતો હતો. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ધિરાણદારે આરસીએફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો, કે તેની સાથે કેટલાક લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે.ફરિયાદીએ તેના એક સંબંધીને 17 લાખ રૂપિયા ઊછીના આપ્યા હતા જ્યારે તેણે અન્ય ત્રણ જણને પણ પૈસા આપ્યા હતા, પરંતુ તેઓ તેના પૈસા પાછા આપતા ન હોવાથી તેણે ફરિયાદ નોંધાવી હતી. એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેય પોલીસે અરજી સ્વીકારી અને તપાસ શરૂ કરી હતી, પરંતુ તપાસ શરૂ કરતાં પહેલાં, પોલીસે થોડી રકમની માગણી કરી અને ફરિયાદીએ તે પૂર્ણ પણ કરી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ