મહારાષ્ટ્રમાં શિવસેનામાં સત્તા સંઘર્ષ દરમિયાન એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને અપાત્ર ઠેરવવામાં વિલંબના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની દલીલો પછી ખંડપીઠે વિધાનસભા અધ્યક્ષની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું છે, કે તેમણે વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણીમાં કોઈ વિલંબ કર્યો નથી. સુપ્રીમ કોર્ટના આદેશની નકલ મળ્યા બાદ અમે અમારી બાજુ વિધિસર રજૂ કરીશું.
સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં નાર્વેકરે જણાવ્યું કે મારા તરફથી સુનાવણીમાં કોઈ વિલંબ થયો નથી. કાયદાકીય પ્રક્રિયા નિયમો મુજબ થશે. મૂળભૂત રીતે, કોર્ટે શું કહ્યું તેની કોઈ માહિતી નથી. કોર્ટના આદેશને વાંચીને પોતાની બાજુ રજૂ કરશે.નાર્વેકરે વધુમાં કહ્યું કે વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવામાં કેટલો સમય લાગશે તે કહી શકાય તેમ નથી, પરંતુ જે નિયમો મુજબ હશે તે કરવામાં આવશે. ઠાકરે જૂથના સુનીલ પ્રભુ, અજય ચૌધરી દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે. તે તેમનો અધિકાર છે અને તેઓએ તેની ચકાસણી કરવી જોઈએ.
વિધાનસભામાં તમામ બાબતોની ચકાસણી કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.અમે ધારાસભ્યોને અપાત્ર ઠેરવવાના નિર્દેશો આપતી વખતે ત્રણ મહિનાની મર્યાદા મૂકી નથી. જોકે મુખ્ય ન્યાયાધીશે નાર્વેકરને ચેતવણી આપી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો આદર કરવો જોઈએ તેમ જ આ મામલે આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરાશે. કોર્ટે નાર્વેકરને કહ્યું કે અમે ત્રણ મહિનાની મુદત આપી નથી તેમ છતાં તેનો અર્થ એ નથી કે વિધાનસભાના અધ્યક્ષે કોર્ટની અવમાનના કરવી જોઈએ.
કોર્ટે રાહુલ નાર્વેકરને પૂછ્યું કે તેઓ આ કેસની સુનાવણીમાં કેમ વિલંબ કરી રહ્યા છે. ધારાસભ્યોને અપાત્ર ઠેરવવા અંગેની સૂચના આપતી વખતે અધ્યક્ષે આગામી બે સુનાવણી પહેલા શું કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી આપવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે, કે આવી રીતે કોઈ અનિશ્ચિત સમય માટે કામ કરી શકે નહીં, વિધાનસભાના અધ્યક્ષે તે કેટલા સમય સુધી કામ કરશે તેનું શિડ્યુલ આપવું જોઈએ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ