September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

6 માળ જેટલું દેશનું સૌથી મોટું એસ્કેલેટર મુંબઈમાં

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશને હવાઈ પ્રવાસ કરનારા પ્રવાસીઓ એરપોર્ટ પર સહેલાઈથી પહોંચી શકે એ માટે મોટી યોજના તૈયાર કરી છે. મેટ્રો સ્ટેશનમાં દેશનું સૌથી ઉંચુ એસ્કેલેટર લગાડવાનો નિર્ણય એમએમઆરસીએ લીધો છે. આ એસ્કેલેટરની ઉંચાઈ 6 માળાની ઈમારત જેટલી હશે. ટી-2ના આ એસ્કેલેટરની ઉંચાઈ 19.15 મીટર હશે. મેટ્રોને એરપોર્ટ સાથે જોડતા આટલા ઉંચા કુલ 8 એસ્કેલેટર લગાડવામાં આવશે. એમએમઆરસીના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર અત્યારે દિલ્હી મેટ્રોના એક સ્ટેશનમાં અત્યાર સુધીનું સૌથી ઉંચુ એસ્કેલેટર 15 મીટરનું છે.

પણે મેટ્રો-3ના ટી-2 સ્ટેશનમાં 19.15 મીટર ઉંચુ એસ્કેલેટર લગાડવામાં આવશે. 8 એસ્કેલેટરમાંથી 4 એસ્કેલેટર લગાડવાના કામની શરૂઆત કરવામાં આવી છે. સ્ટેશન પરિસરમાં આટલું મોટું એસ્કેલેટર લગાડવા 250 ટન ક્ષમતાના ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે. કોલાબા-બાન્દરા-સીપ્ઝ અંડરગ્રાઉન્ડ મેટ્રો-3ના સ્ટેશન જમીનથી 15 થી 20 મીટર નીચે છે. આ મહાકાય એસ્કેલેટરની મદદથી વિમાનના પ્રવાસીઓ ગણતરીની મિનિટોમાં ભૂગર્ભમાંથી એરપોર્ટ પરિસરમાં પહોંચી શકશે. મુંબઈ એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત દ્વિતિય ક્રમનું એરપોર્ટ છે. અહીં દરરોજ 950 કરતા વધારે ફ્લાઈટ્સની અવરજવર છે. વિમાન પ્રવાસીઓની સાથે જ તેમના સગાસંબંધીઓ પણ મોટા પ્રમાણમાં એરપોર્ટ પર આવે છે.

દક્ષિણ મુંબઈમાંથી એરપોર્ટ પહોંચવા માટે અત્યારે એકથી દોઢ કલાક લાગે છે. મેટ્રો-3 કોરિડોરના કારણે દક્ષિણ મુંબઈના હવાઈ પ્રવાસીઓ ફક્ત 20 થી 25 મિનિટમાં એરપોર્ટ પહોંચી શકશે. એટલે ભવિષ્યમાં થનારી ગિરદીને ધ્યાનમાં રાખતા મુંબઈ એરપોર્ટ અને નવી મુંબઈ એરપોર્ટને મેટ્રોના માધ્યમથી જોડવામાં આવશે. તેથી મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ ફક્ત 30 થી 40 મિનિટમાં પહોંચી શકાશે. બંને એરપોર્ટને જોડવા માટે 35 કિલોમીટર લાંબો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.

MMRDA અને સિડકોની જવાબદારી
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી માનખુર્દ સુધી મેટ્રો માર્ગ તૈયાર કરવાની જવાબદારી એમએમઆરડીએને આપવામાં આવી છે તો લગભગ 11 કિલોમીટર લાંબા મેટ્રો માર્ગના બાંધકામની જવાબદારી સિડકોની હશે. આ મેટ્રો રૂટ તૈયાર થયા પછી મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ ફક્ત 35 થી 40 મિનિટમાં પહોંચી શકાશે. અત્યારે આ પ્રવાસ માટે લગભગ બેથી અઢી કલાકનો સમય લાગે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us