સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે માઈગ્રેન એક પ્રકારનો સાયકોસોમેટીક ડિસઓર્ડર છે. આ સમસ્યા મોટાભાગે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના કારણે થતી હોય છે. તેથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી. 

માઈગ્રેન સામાન્ય માથાના દુખાવાથી અલગ અને વધારે પીડાદાયક હોય છે. માઈગ્રેનના કારણે માથાનો દુખાવો થાય તો વ્યક્તિની હાલત બગડી જાય છે. માઇગ્રેનના કારણે વ્યક્તિને ઉલટીઓ શરૂ થઈ જાય છે અને અવાજ અને પ્રકાશથી પણ સમસ્યા થવા લાગે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે માઈગ્રેન એક પ્રકારનો સાયકોસોમેટીક ડિસઓર્ડર છે. આ સમસ્યા મોટાભાગે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાના કારણે થતી હોય છે. તેથી તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી. 

માઈગ્રેનસ સ્ટ્રોક

આ એક દુર્લભ સમસ્યા છે જે મોટાભાગે મહિલાઓમાં જોવા મળે છે. જ્યારે તમને માઈગ્રેનમાં દુખાવાની સાથે સ્ટ્રોક આવે છે ત્યારે તેને માઈગ્રેનસ સ્ટ્રોક કહેવાય છે. આવી સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડતી નસ બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિ આપાતકાલીન સ્થિતિ હોય છે. આ પ્રકારનો સ્ટ્રોક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 

માઈગ્રેનના કારણે આંચકી

માઈગ્રેનના કારણે આંચકી આવવાની સમસ્યા પણ થઈ શકે છે. જોકે આવું ભાગ્યે જ થાય છે. નિષ્ણાતો અનુસાર માઈગ્રેન ની ગંભીર સ્થિતિ મગજને નુકસાન પહોંચાડી શકે છે જેના કારણે આંચકી આવવાનું જોખમ વધી શકે છે. 

માનસિક સ્વાસ્થ્ય

જે લોકોને સ્ટ્રેસ અને ડિપ્રેશન થવાની શક્યતા વધારે હોય છે તેમને માઈગ્રેન થવાની શક્યતા પણ વધારે હોય છે. સામાન્ય માણસની સરખામણીમાં જેને સ્ટ્રેસ વધારે હોય છે તેમને માઈગ્રેન નું જોખમ વધી જાય છે. માઇગ્રેનની સ્થિતિમાં ઊંઘ પણ બરાબર થઈ શકતી નથી. વારંવાર આવું થવાથી માઈગ્રેનનો એટેક આવી શકે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us