બંધ પડેલી સ્ટ્રીટ લાઈટને કારણે મૃત્યુ થયું હોવાની ચર્ચા… પોલીસ ચોક્કસ કારણ જાણી શકી નથી
મુલુંડમાં રહેતા અને એપીએમસીની દાણાબજાર માર્કેટના જાણીતા દલાલ દીપક ઠક્કર શનિવારે રાતે ઘરે જમ્યા બાદ હનુમાનના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યા હતા. દર્શન કરીને ઘરે પાછા ફરતા હતા ત્યારે દેવીદયાળ રોડ ક્રૉસ કરતી વખતે પૂરપાટ આવતી બેસ્ટની બસની અડફ્ટે તેઓ આવી ગયા હતા. એ દરમિયાન પહેલાં બસનું આગલું અને એ પછી પાછલું ટાયર દીપક્ભાઈના શરીર પરથી ફરી વળ્યું હતું. તેમને તરત જ ઇલાજ માટે નજીકની હૉસ્પિટલમાં લઈ જવાતાં ત્યાં હાજર ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. મુલુંડ પોલીસે બસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.
કચ્છના મોટી મઉ ગામના વતની અને હાલ મુલુંડ-વેસ્ટમાં દેવીદયાળ રોડની પાછળ આવેલી મહાવીરધામ સોસાયટીમાં ૧૬૦૧ નંબરના ફ્લૅટમાં રહેતા અને એપીએમસીના દાણાબંદરમાં કરસનદાસ કાનજી ઍન્ડ કંપનીના નામે દલાલી કરતા ૫૮ વર્ષના દીપક કરસનદાસ ઠક્કર શનિવારે રાતે ૧૦ વાગ્યે ઘરેથી પાંચ રસ્તા પરના મંદિરે અને બાવાજીની ઝૂંપડી મંદિરમાં હનુમાનના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. દર્શન કરીને આશરે પોણાઅગિયાર વાગ્યે ચાલતાં-ચાલતાં તેઓ દેવીદયાળ રોડ પરથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે રોડ ક્રૉસ કરતી વખતે સામેથી આવતી બેસ્ટની બસે તેમને અડફટે લીધા હતા. એમાં પહેલાં આગળનું એક ટાયર દીપકભાઈના શરીર પરથી ફરી વળ્યું હતું. ત્યાર બાદ બસના ડ્રાઇવરે કન્ટ્રોલ ન કરતાં પાછળનું ટાયર પણ તેમના શરીર પરથી ફરી વળ્યું હતું. ત્યાં હાજર લોકોએ તરત તેમને સ્થાનિક હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડ્યા હતા, જ્યાં હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મુલુંડ પોલીસે બેસ્ટની બસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને શનિવારે મોડી રાતે તેની ધરપકડ કરી હતી.
ઘટનાસ્થળની માહિતી લેતાં એવું જાણવા મળ્યું આવ્યું હતું કે એ રાતે દેવીદયાળ રોડ પર કેટલીક સ્ટ્રીટલાઇટો બંધ હતી એટલે બસ-ડ્રાઇવરને દીપકભાઈ દેખાયા નહીં હોય અને તેણે બસ સીધી તેમના પર ચડાવી મૂકી હશે. બીજી બાજુ જે જગ્યા પર અકસ્માત થયો છે ત્યાં એક મોટો ખાડો પડેલો છે એટલે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રોડ ક્રૉસ કરતી વખતે દીપકભાઈએ એને લીધે પોતાનું બૅલેન્સ ગુમાવ્યું હોય અને બસ-ડ્રાઇવરે બસ તેમના પર ચડાવી મૂકી હોય. જોકે આ બન્ને ઍન્ગલમાં હજી સુધી કોઈ ચોક્કસ કડી પોલીસને મળી નથી. તે આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યા બાદ જ ખબર પડશે.
દીપકભાઈના ભત્રીજા શરણ ઠક્કરે કહ્યું હતું કે ‘શનિવાર હોવાથી રાતે ભોજન કર્યા બાદ તેઓ હનુમાનના મંદિરે દર્શન કરવા માટે નીક્ળ્યા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે આ ઘટના બની છે. આ ઘટના બની એ સમયે તેમના માથા પર હનુમાનના મંદિરમાં કરેલો ટીકો પણ હતો. આ અસ્માત કેવી રીતે થયો છે એની માહિતી હવે અમે મેળવીશું. ગઈ કાલે બપોરે મુલુંડ–વેસ્ટની સ્મશાનભૂમિમાં તેમની અંતિમવિધિ થઈ હતી. તેઓ પત્ની, એક પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથેરહેતા હતા. રોજ તેમનો રાતનો સમય તેને રમાડવામાં જતો હતો, પણ શનિવારે રાત્રે તે વહેલો સૂઈ ગયો હોવાથી તેઓ મંદિરમાં દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ ઘટનાથી તેમનો પરિવાર ખૂબ જ આઘાતમાં છે.’
મુલુંડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર કંચન થોરાતે કહ્યું હતું કે હાલમાં અમે બેસ્ટના ડ્રાઇવર મનોજ સામે ૩૦૪-એની ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. આ અકસ્માત કેવી રીતે થયો એની માહિતી સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયા પછી જ જાણવા મળશે. આ કેસમાં એકથી વધુ સંભાવનાઓ રહેલી છે. ફુટેજ જોયા પછી બધુ ક્લિયર થશે.’
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM
એક ની એક વાત કેટલી વાર રીપીટ કરો છો . પત્રકાર નો દોષ છે કે એડિટર નો?