વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ દર વર્ષે નારદ જયંતિ ઉજવવામાં આવે છે. નારદ મુનિ પ્રખર સંગીતકાર અને દેવોના સંદેશવાહક છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં તેઓ માહિતીના સોર્સ બની રહી છે. માન્યતા મુજબ કઠોર તપસ્યા બાદ નારદજીએ દેવલોકમાં બ્રહ્મઋષિનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નારદજીને ત્રણેય લોકમાં ભ્રમણ કરવાનું વરદાન મળ્યું હતું.
પૃથ્વી પરના પ્રથમ પત્રકાર
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, નારદ મુનિ પૃથ્વી પરના પ્રથમ પત્રકાર છે. તેઓ સમગ્ર સૃષ્ટિમાં તમામ સ્થળોએ પ્રવાસ કરવાની શકિત ધરાવે છે. સૃષ્ટિનું સંતુલન જાળવવા માટે તેઓ અગત્યની ભૂમિકા ભજવે છે. નારદજીને બ્રહ્માજીના પુત્ર અને બ્રહ્માંડના સંદેશવાહક કહેવામાં આવે છે. તેઓ હંમેશા વિષ્ણુ ભક્તિમાં લીન રહે છે. તેઓ નારાયણ નારાયણનો જાપ કરતા રહે છે. નારદ મુનિ પૃથ્વી, આકાશ અને પાતાળમાં દેવી-દેવતાઓ અને અસુરોને સંદેશ આપતા હતા.
પંચાગ અનુસાર, વૈશાખ મહિનાની પ્રતિપદા તિથિ 5 મે, 2023ના રોજ રાત્રે 11.03 વાગ્યે શરૂ થઈ ચૂકી છે અને 6 મે 2023ના રોજ રાત્રે 09.52 વાગ્યા સુધી રહેશે. નારાયણ એ સત્યનું મૂર્ત સ્વરૂપ છે. નારાયણ જયંતિ ભ્રષ્ટ, અનિષ્ટ પર સત્યના વિજયને ગૌરવ આપવા માટે ઉજવવામાં આવે છે.
સંગીત, વ્યાકરણ, ભૂગોળ, ઇતિહાસ, જ્યોતિષ, યોગના જાણકાર
શાસ્ત્રો મુજબ ‘નાર’ એટલે પાણી થાય. નારદજી જ્ઞાન, જળ અને તર્પણનો વ્યાપ વધારતા હતા. તેથી તેઓ નારદ તરીકે ઓળખાતા હતા. એવું પણ માનવામાં આવે છે કે નારદજીનો જન્મ બ્રહ્માજીના કંઠેથી થયો હતો. તેઓને સંગીત, વ્યાકરણ, ભૂગોળ, ઇતિહાસ, પુરાણ, જ્યોતિષ, યોગ વગેરેના જાણકાર માનવામાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે, નારદ જયંતિ સામાન્ય રીતે બુદ્ધ પૂર્ણિમાના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. આ બંને તહેવારો એક દિવસે આવતા હોય છે.
નારદ જયંતિના દિવસે આરાધના કરવાના ફળ
માન્યતા મુજબ, નારદ જયંતિના દિવસે દેવર્ષિ નારદની પૂજા કે સ્મરણ કરવાથી અને તેમના નામનો જાપ કરવાથી પ્રોફેશનલ લાઇફમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવે છે. કારકિર્દી સારી રહે છે. નોકરીમાં પ્રગતિ થાય છે. કામ ધંધા પર માન-સન્માન વધે છે. ભક્તોની આવક વધે છે. તેમને નોકરીમાં સફળતા પ્રાપ્ત થાય છે. નોકરીના અવરોધો દૂર થાય છે અને પ્રમોશન પણ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, નારદ જયંતિના દિવસે વ્રજ મંડળ સ્થિત નારદ કુંડમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ અને નારદ મુનિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કુંડમાં ડૂબકી લગાવતી વખતે નારદનું સ્મરણ કરવું જોઈએ. તેમજ મંત્રનો જાપ કરો. આમ કરવાથી બુદ્ધિ અને જ્ઞાનનું વરદાન મળે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w