September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

મેટ્રો ૬ કારશેડ માટે કાંજુરમાર્ગને ગ્રીન સિગ્નલ

સ્વામી સમર્થનગરથી વિક્રોલી મેટ્રો-6 રૂટ માટે કારશેડનો માર્ગ ટૂંક સમયમાં ખુલ્લો થશે. મેટ્રો-6ના કારશેડ માટે કાંજુરમાં 15 હેકટન જમીન મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણને હસ્તાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ રાજ્ય સરકારે મુંબઈ ઉપનગર જિલ્લાધિકારીને આપ્યો છે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા મેટ્રો-6 રૂટનું કામ અત્યારે ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

આ રૂટ 2025માં શરૂ કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે. જોકે આ રૂટના કારશેડની સમસ્યા ગંભીર બની હતી. એમએમઆરડીએએ આ રૂટના કારશેડને કાંજુરમાર્ગની જમીન પર પ્રસ્તાવિત કરી હતી. મહાવિકાસ આઘાડી સરકારે પોતાના સમયમાં મેટ્રો-3 (કોલાબા-બાન્દરા-સીપ્ઝ) રૂટનો કારશેડ આ જ જમીન પર ખસેડવાનો નિર્ણય લીધો હતો. જમીનની માલિકી પરથી શરૂ થયેલ વિવાદ કોર્ટમાં પહોંચ્યો. મેટ્રો-3નો કારશેડ આરેમાંથી કાંજુર ખસેડવાનો ભાજપે વિરોધ કર્યો. તેથી જ શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવ્યા પછી કારશેડ કાંજુરથી ફરીથી આરેમાં ખસેડવામાં આવ્યો. આ વિવાદમાં મેટ્રો કારશેડ અટવાઈ ગયો.

હવે મેટ્રો-6નું કામ ઝડપથી ચાલુ છે ત્યારે કારશેડની સમસ્યા ઉકેલવી જરૂરી હતું. એ અનુસાર એમએમઆરડીએએ રાજ્ય સરકાર પાસે પ્રયત્ન કર્યા. એને સફળતા મળી છે. એ અનુસાર રાજ્ય સરકાર આ જમીન મેટ્રો-6ના કારશેડ માટે આપવા સંમતિ આપવામાં આવી છે. આ જમીન એમએમઆરડીએને આપવાની પ્રક્રિયા શરૂ કરવાનો લેખિત આદેશ સરકારે આપ્યાની માહિતી મળી છે. આ જમીન એમએમઆરડીએએ આપવા માટે હાઈ કોર્ટની પરવાનગી જરૂરી છે. એના માટે કોર્ટમાં અરજી દાખલ કરવી એવો આદેશ મુંબઈ ઉપનગર જિલ્લાધિકારીને આપવામાં આવ્યો છે.

મેટ્રો-6નો રૂટ આવો છે
મેટ્રો-6 રૂટ પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડવાનો છે. જોગેશ્વરીથી વિક્રોલીનું અંતર ઓછું થશે. 15.31 કિલોમીટર લાંબા આ રૂટમાં 13 મેટ્રો સ્ટેશનનો સમાવેશ છે. એના માટે અંદાજે 6 હજાર 672 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. પૂર્ણપણે એલિવેટેડ આ રૂટના સ્ટેશનમાં લોખંડવાલા કોમ્પ્લેક્સ, આદર્શનગર, મોમીન નગર, જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ, શ્યામ નગર, મહાકાલી કેવ્ઝ, સીપ્ઝ વિલેજ, સાકી વિહાર રોડ, રામ બાગ, પવઈ તળાવ, આઈઆઈટી પવઈ, કાંજુરમાર્ગ પશ્ચિમ અને વિક્રોલી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનો સમાવેશ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us