September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

મુંબઈના માર્ગો પર ત્યજાયેલાં 5550 વાહનો સ્ક્રેપમાં

મુંબઇ મહાનગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં શહેરમાં રોડ પર ત્યજી દેવામાં આવેલા ૫૫૫૦ વાહનો ને હટાવી ભંગારવાડે મોકલી આપ્યા છે જેની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે તેમ એક મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું. કોરોના મહામારી બાદ બે વર્ષના અંતરાલ બાદ બીએમસીએ રોડ પર ત્યજી દેવાતા બિનવારસી વાહનો સામેની ઝૂંબેશ ફરી વેગવાન બનાવી છે. 

૨૪ એડમિનિસ્ટ્રેટિવ વોર્ડસમાં રોડ પર પડેલા ૯૪૮૫ વાહનોના માલિકોને નોટિસ આપવામાં આવી હતી અને તેમાંથી ૩,૬૮૫ વાહનમાલિકોએ તેમના વાહનો હટાવી લીધા હતા. ૨૧૪ વાહનો તેમના માલિકોને ચાર્જ વસૂલ કરી પરત સોંપવામાં આવ્યા હતા. 

મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૮૮૮ની કલમ ૩૧૪ હેઠળ વાહનોને જપ્ત કરવામાં આવે છે. આ ત્યજાયેલા વાહનોને કારણે ટ્રાફિક અવરોધાય છે અને તે રોગોના ઘર બને છે. બીએમસી દ્વારા લાંબા સમયથી રોડ પર પડેલા વાહનો પર ૪૮ કલાકમાં વાહન હટાવવાની નોટીસ લગાવે છે. જો વાહનમાલિક નિયત સમયમાં વાહન ન હટાવે તો બીએમસી દ્વારા આ વાહનને ઉપાડી જવામાં આવે છે. એ પછી પણ એક મહિનામાં વાહનમાલિક બીએમસી પાસે તેનું વાહન લેવા ન જાય તો આ બિનવારસી વાહનોની હરાજી કરી દેવામાં આવે છે. હાલ મુંબઇના તમામ ચોવીસે વોર્ડમા ૫૫૫૦ વાહનો ભંગારમાં મુકવામાં આવેલા છે જેની ટૂંક સમયમાં હરાજી કરી નાંખવામાં આવશે.આ વાહનોમાં ૭૦ વાહનો દ્વિચક્રી અને ત્રિચક્રી છે. તમામ કાનુની પ્રક્રિયા પુરી કરી આ વાહનોની વોર્ડ દ્વારા હરાજી કરી દેવામાં આવશે. એમ ઇસ્ટ વોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર ગોવંડી અને દેવનાર વિસ્તારમાંથી ઉપાડીને લાવવામાં આવેલા વાહનોની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે. મુંબઇમાં સૌથી વધારે  ગ્રાન્ટ રોડમાંથી ૬૬૮, પરેલમાંથી ૩૮૦ અને કાંદિવલીમાંથી ૩૬૨ વાહનોને બીએમસી દ્વારા ઉપાડી જવામાં આવ્યા હતા. 

તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં બીએમસી દ્વારા દરેક વોર્ડમાં નોડલ ઓફિસર નીમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ટ્રાફિક પોલીસના સહયોગ સાથે શહેરમાં ત્યજાયેલા વાહનો સામે સંયુકત રીતે કામગીરી બજાવશે. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us