વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની સરકારને 9 વર્ષ પૂરા થવાથી ભાજપ તરફથી દેશમાં 31 મેથી એક મહિના સુધી મહાજનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દરેક લોકસભા મતદારસંઘમાં એક પ્રમાણે કુલ 48 સભાનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દરેકની એક એક સભા રાજ્યમાં થશે અને એનું નિયોજન શરૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્રિય મંત્રી અને વરિષ્ઠ નેતા દરેક લોકસભા મતદારસંઘમાં પ્રવાસ કરીને સભા લેશે. મોદી સરકારના વિકાસકામ અને કલ્યાણકારી યોજનાઓની માહિતી મહાજનસંપર્ક અભિયાન દ્વારા 80 કરોડ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે. દેશમાં 51 રેલી, 500થી વધારે સભા અને 600 કરતા વધારે પત્રકાર પરિષદ આયોજિત કરવામાં આવ્યા છે.
દરેક લોકસભા મતદારસંઘમાં એક પ્રમાણે તમામ લોકસભા મતદારસંઘમાં 5 લાખ કરતા વધારે વિશેષ કુટુંબ સાથે સંપર્ક સાધવામાં આવશે. લાભાર્થીઓ અને વરિષ્ઠ કાર્યકર્તા સંપર્ક જેવા વિવિધ કાર્યક્રમ લોકસભા, વિધાનસભા અને મતદાન કેન્દ્ર (બુથ)ના સ્તરે આયોજિત કરવામાં આવશે એવી માહિતી અભિયાનના પ્રદેશ સંયોજક વિધાનસભ્ય પ્રવીણ દરેકર અને ભાજપ મુંબઈ અધ્યક્ષ વિધાનસભ્ય આશિષ શેલારે આપી હતી. રાજ્યમાં 4 લોકસભા મતદારસંઘ મળીને એક વિભાગ કરવામાં આવ્યો છે. આ મતદારસંઘમાં રાજ્યના પ્રભારી અને નેશનલ સેક્રેટરી સી.ટી.રવી, ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, કેન્દ્રિય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અનુરાગ ઠાકુર, પ્રલ્હાદસિંહ પટેલ, અજયકુમાર મિશ્રા, સંસદસભ્ય તીરથસિંહ રાવત, સદાનંદ ગૌડા, મધ્યપ્રદેશના મંત્રી અરવિંદ ભદુરીયા વગેરે નેતાઓ પ્રવાસ કરશે.
યોજનાની તાત્કાલીક અમલબજાવણી : છેલ્લા 9 વર્ષમાં મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને ઉતેજન આપ્યું હોવાથી વિશ્વની પ્રથમ પાંચ અર્થવ્યવસ્થામાં ભારતનો સમાવેશ થયો છે. પોતાનો પરિવાર પોતાનો વિકાસ સૂત્ર બદલીને સબકા સાથે સબકા વિકાસનો નવો અધ્યાય રચ્યો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM