ચોમાસુ મોડુ આવ્યુ પણ ભારે વરસાદ સાથે આવ્યું છે. મુંબઈમાં પડી રહેલા તોફાની વરસાદને પગલે, ચોમસાની શરૂઆતમાં જ 10 લોકોના મોત નીપજયાં છે. ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળે છે. મુંબઈમાં ચોમાસાની શરૂઆતમાં આફત બનીને વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાનું BMC દ્વારા સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો છે. બુધવારના વરસાદમાં એક ઈમારત ધરાશાયી થઈ છે, કેટલીક જગ્યાએ વૃક્ષો પડી ગયાના બનાવ બન્યા છે તો અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ફરિયાદ મળી છે. રોડ ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામ થવાના બનાવો પણ બની રહ્યાં છે. જનજીવન સાવ અસ્તવ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગ (IMD) એ પણ ગુરુવારે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

પહેલા યલો એલર્ટ પછી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

હાલમાં, બુધવારની સરખામણીમાં ગુરુવારે મુંબઈ અને તેની આસપાસમાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. પરંતુ અત્યાર સુધીના વરસાદમાં BMC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, મૃત્યુ પામેલા 10 લોકોમાંથી ભાયખલામાં 1 વ્યક્તિ, મલાડમાં 1, ગોરેગાંવમાં 1 વ્યક્તિનું ઝાડ પડવાના કારણે મોત થયું છે. ઘાટકોપર અને વિલેપાર્લેમાં ઈમારત ધરાશાયી થવાને કારણે બે લોકોના મોત થયા છે. ગટરની સફાઈ દરમિયાન ગોવંડીમાં બે અને કાંદિવલીમાં એક વ્યક્તિના મોત થયા છે.

વૃક્ષ પડતાં 3નાં મોત, ઇમારત ધરાશાયી થતાં 4નાં મોત અને ગટરની સફાઈમાં 3નાં મોત

આ રીતે મુંબઈના અલગ અલગ વિસ્તારમાંઝાડ પડવાને કારણે કુલ 3 લોકોના મોત થયા છે, ઈમારત ધરાશાયી થવાને કારણે 4 લોકોના મોત થયા છે. ગટરની સફાઈ દરમિયાન 3 મજૂરોના મોત થયા છે. આ રીતે દેશની આર્થિક રાજધાનીમાં ચોમાસાએ 10 લોકોના જીવ લીધા છે. બુધવારના વરસાદમાં જ 2 લોકોના મોત થયા છે અને 1ની હાલત ગંભીર છે. મલાડના કૌશલ દેવી (ઉંમર 38) અને ગોરેગાંવમાં લોન્ડ્રી ચલાવતા પ્રેમ લાલ નિર્મલ (ઉંમર 30)નું બુધવારે ઝાડ પડવાથી મૃત્યુ થયું હતું. એક ઓટોરિક્ષા ચાલક પર ઝાડ પડતા તેને ગંભીર ઇજા પહોંચી હતી.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો

બુધવારે નોંધાયેલા આંકડા અનુસાર, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. થાણેમાં 148.6 મીમી વરસાદ નોંધાયો છે. મુંબઈના દહિસરમાં 148.5 મીમી વરસાદ નોંધાયો છે. ભાયંદરમાં 122.5 મીમી અને નવી મુંબઈમાં 113 મીમી વરસાદનો રેકોર્ડ નોંધાયો હતો. ચોમાસાના આગમનમાં વિલંબ થયો ત્યારે એવા સમાચાર આવ્યા હતા, કે 1 જુલાઈથી મુંબઈમાં પાણીકાપ લાદવામાં આવશે. પરંતુ હવે જ્યારે વરસાદ શરૂ થયો છે ત્યારે પાણી કાપની જાહેરાત કરવામાં આવી નથી. તેથી જ શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે, જો વરસાદ ન હોય તો માનવી કેવી રીતે જીવી શકે, જો ભારે વરસાદ પડે તો જાનમાલનું મોટું નુકસાન થાય છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Dlp5GlYBsz4I3eX56yFiSM

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us