September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

મુલુંડમાં કૂતરાને લાત ન મારવાની સલાહ આપતી મહિલા પર થયો ચાકૂથી હુમલો

ઘરની બહાર ચાલીમાં બેસેલા શ્વાનને લાત શા માટે મારી એમ એક જણે પૂછતાં ૬૦ વર્ષના એક માણસે બે જણને ચાકુ માર્યું હતું. આ બનાવ મુલુંડ (વેસ્ટ) માં વૈશાલીનગરમાં બન્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ૫૦ વર્ષની એક મહિલા ચાલીમાં પોતાના ઘરની બહાર બેઠી હતી. એ સમયે દિનેશ બોરીચા ત્યાંથી પસાર થતો હતો અને ત્યાં બેસેલા એક શ્વાનને તેણે ઇરાદાપૂર્વક બે વાર લાત મારી હતી. શ્વાન તમને હેરાન નથી કરતો તો પછી એને લાત શા માટે મારી એમ મહિલાએ તેને પૂછ્યું હતું. આ સાંભળીને દિનેશ ગુસ્સે થઈ ગયો હતો અને પેલી મહિલા સાથે દલીલ કરવા લાગ્યો હતો. આ મહિલા અને દિનેશ બોરીચા પાડોશી છે.

દલીલો સાંભળીને મહિલાના સંબંધીઓ તેને બચાવવા દોડી આવ્યા હતા. જોકે દિનેશ બોરીચાએ અચાનક જ ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું હતું અને તેના પર હુમલો કરવા લાગ્યો હતો.

આ ઝઘડા દરમિયાન દિનેશ બોરીચાએ મહિલાના પેટમાં ચાકુ માર્યું હતું અને બીજી એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ મહિલાના એક સંબંધીને પણ ઈજા થઈ હતી. પોલીસનું પેટ્રોલ વેહિકલ ત્યાંથી પસાર થતું હતું. લોકોના ટોળાને જોઈને પોલીસે વાહનને રોક્યું હતું. ત્યાર બાદ દિનેશ બોરીચાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારેહુમલાનો ભોગ બનેલી મહિલા અને અન્ય વ્યક્તિને સારવાર માટે સાયન હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં.

ઘાયલ થયેલા બન્નેની તબિયત સારી છે, પણ હજી સુધી તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી એમ કહીને પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઊલટતપાસ દરમિયાનદિનેશ બોરીચાએ જણાવ્યું હતું કે તે પોતાની સલામતી માટે ચાકુ હંમેશાં સાથે રાખતો હતો. જોકે અમને ખબર પડી છે કે તેને કોઈ માનસિક બીમારી છે અને તેનો સ્વભાવ ગુસ્સાવાળો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં છઠ્ઠી એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.’

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us