September 19, 2024
11 11 11 AM
3367 сайтов онлайн казино
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Breaking News
3367 сайтов онлайн казино Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન

ભજન કીર્તનમાં શા માટે પાડવામાં આવે છે તાળી? જાણો કેવી રીતે થઇ શરૂઆત

ઘણીવાર આપણે ઘર, મંદિર કે ભગવાનની આરતી-કીર્તનમાં હોઈએ તો તાળી પાડીએ છીએ. જ્યારે પણ ભજન-કીર્તન માટે કોઈપણ વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આપણા હાથ ચોક્કસપણે તાળી પાડવા માટે ઉભા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભજન કીર્તનમાં તાળીઓ શા માટે વગાડવામાં આવે છે, ક્યારે તાળી પાડવાની પરંપરા શરૂ થઈ હતી. આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તાળી પાડવાના વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને ફાયદા છે. તાળી પાડવા પાછળ પણ એક દંતકથા છુપાયેલી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

આ રીતે થઇ તાળી પાડવાની શરૂઆત

એક દંતકથા અનુસાર, તાળી વગાડવાની પ્રથા ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદે શરૂ કરી હતી. વાસ્તવમાં પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપને વિષ્ણુજીની ભક્તિ પસંદ ન હતી. આ માટે તેણે ઘણા ઉપાયો કર્યા, પરંતુ પ્રહલાદ પર આ બધાની કોઈ અસર થઈ નહીં. અંતે હિરણ્યકશ્યપે પ્રહલાદના વાદ્યનો નાશ કર્યો. હિરણ્યકશ્યપને લાગ્યું કે આમ કરવાથી પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજા કરી શકશે નહીં. પણ એવું ન થયું, પ્રહલાદે હાર ન માની. તેણે શ્રીહરિ વિષ્ણુના સ્તોત્રોને લય આપવા માટે તેના બંને હાથ વગાડવાનું શરૂ કર્યું. એનાથી એક તાલ બનાવ્યો. આ કારણે તેનું નામ તાલી પડ્યું.

ભગવાનનું ધ્યાન આકર્ષિત કરવો

ત્યારથી દરેક ભજન-કીર્તનમાં તાળીઓ પડવા લાગી. એવું માનવામાં આવે છે કે તાળી પાડવાથી ભગવાનને વ્યક્તિના દુઃખો સાંભળવા બોલાવવામાં આવે છે. આમ કરવાથી ભગવાનનું ધ્યાન આકર્ષિત થાય છે. તેમજ ભજન-કીર્તન કે આરતી વખતે તાળીઓ વગાડવાથી પાપોનો નાશ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

બીજી તરફ, તાળી પાડવાના વૈજ્ઞાનિક કારણ વિશે વાત કરીએ તો, તાળી વગાડવાથી હથેળીઓના એક્યુપ્રેશર પોઈન્ટ પર દબાણ આવે છે. આ સાથે, તે હૃદય અને ફેફસાના રોગોમાં લાભ આપે છે. તાળી વગાડવાથી બ્લડપ્રેશર પણ બરાબર રહે છે. તાળી પાડવી એ પણ એક પ્રકારનો યોગ માનવામાં આવે છે. આમ કરવાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/GjgqLFW72fmFHMBBpYQGdG 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us