વસઈ-પૂર્વમાં રહેતા ગુજરાતી પરિવારના પિતા- પુત્રએ ભાયંદર અને નાયગાંવ વચ્ચે રેલવે ટ્રેક પર પડતું મૂકીને આત્મહત્યા કરી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) અકસ્માતે મોત (એડીઆર) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વસઈ જીઆરપીના પીઆઈ ભગવાન ડાંગેએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, વિરારથી ચર્ચગેટ જતી ફાસ્ટ લોકલ ટ્રેન ટ્રેક નંબર 6 પર સોમવારે સવારે 11.20 વાગ્યે ભાયંદરથી મીરા રોડ તરફ નજીક આવી રહેલી ટ્રેનની સામે પિતા- પુત્રએ પડતું મૂક્યું હતું. આ કરુણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાસ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં આ ઘટના માટે કોઈને જવાબદાર નહીં ઠરાવવા લખ્યું છે. જય મહેતા (33) અને પિતા હરેશ મહેતા (65)ના મૃતદેહને પોર્સ્ટમોર્ટમ કરી તેમના પરિવારજનોને સોંપી દેવાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, વસઈ ઈસ્ટના રિંગ રોડ પર, રશ્મિ દિવ્ય ઈમારતમાં તેઓ રહેતા હતા, જય બેનર બનાવવાનું અને હરેશ શેરમાર્કેટના વેપાર સાથે સંકળાયેલા હતા. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનામાં પિતા-પુત્ર પ્લેટફોર્મ પર એકબીજા સાથે વાત કરતા અને પ્લેટફોર્મથી થોડે દૂર ચાલ્યા બાદ પિતા-પુત્રએ વિરારથી ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનની સામે પડતું મૂક્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw