
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના કમિશનર સૌરભ રાવે મુલુંડ અને થાણે રેલવે-સ્ટેશન વચ્ચે બનાવવામાં આવી રહેલા નવા રેલવે-સ્ટેશનની નજીકના હાઈ ટેન્શન વાયરને દૂર કરવા માટે એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નવા સ્ટેશનથી વાગલે એસ્ટેટ, થાણેના થોડબંદર રોડ વિસ્તારના રહેવાસીઓને ફાયદો થશે. થાણે અને મુલુંડ વચ્ચે મેન્ટલ હોસ્પિટલ નજીક થાણે સ્માર્ટ સિટી હેઠળ એક નવું રેલવે-સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, જેમાં રેલવે-ટ્રેક લાઈન નાખવી, રેલવે-સ્ટેશન બિલ્ડિંગનું બાંધકામ અને બહારના ભાગમાં ડેક, રેમ્પ સહિતનાં અન્ય કામો કરવામાં આવી રહ્યાં છે.
TMC કમિશનર સૌરભ રાવે નવા રેલવે-સ્ટેશન ના કામનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં તેમણે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL)ના અધિકારીઓ સાથે બેઠક યોજી સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપી હતી કે હાઈ ટેન્શન વાયરના કારણે રેલ વે સ્ટેશનનું કામ બંધ ન થવું જોઈએ. ઉપરાંત તાત્કાલિક ઉકેલ યોજના બનાવી એક મહિનામાં ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. એ મુજબ કમિશનર સૌરભ રાવે હાઈ ટેન્શન વાયરનાં ટાવર દૂર કરવા અને એને અન્ડર ગ્રાઉન્ડ કરવા વિશે રેલવે, TMC અને MSEDCLની સંયુક્ત બેઠક યોજવા અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો હતો.

કમિશનરની સૂચના બાદ આ માર્ગ પરના તમામ અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં બૉમ્બે હાઈ કોર્ટે થાણે રિજનલ મેન્ટલ હૉસ્પિટલને મુલુંડ અને થાણે સ્ટેશનો વચ્ચે પ્રસ્તાવિત નવા ઉપનગરીય રેલવે- સ્ટેશન માટે ૧૪.૮૩ એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ નવા સ્ટેશન માટેની જગ્યા હસ્તગત કરવામાં આવી હતી. આ સ્થળ વિશે. બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ TMC દ્વારા સ્ટેશન અને હોસ્પિટલ માટે જરૂરી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ નવા સ્ટેશન તરફ જવા માટે ત્રણ રસ્તા હશે જેમાંથી એક ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડાયેલો હશે. આ નવા સ્ટેશનના કામ માટે કુલ ખર્ચ ૨૬૩ કરોડ રૂપિયાનો થશે એવો પ્રાથમિક અંદાજ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
