મુલુંડ (ઈ)માં આનંદનગર ટોલનાકા પર ૨૦ એપ્રિલના એક ટેમ્પોમાંથી પરવાના વગર આશરે ૧૫૦૦ કિ.ગ્રા. બળદનું માંસ મળી આવતાં પોલીસે ટેમ્પોચાલક મોહમ્મદ અફરોઝ શેખ તેમજ અન્યો વિરૂદ્ધ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ પોલીસને તેમના બાતમીદાર પાસેથી ખબર મળી હતી કે આનંદનગર ટોલનાકા પરથી પરવાના વગર મોટી માત્રામાં માંસ ભરેલો ટેમ્પો પસાર થવાનો છે જેને પગલે પોલીસે પાક્કો બંદોબસ્ત ગોઠવીને ટેમ્પોચાલકને માલમત્તા સહિત આંતર્યો હતો અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટેમ્પોચાલક મોહમ્મદ કલ્યાણથી બળદનું માંસ લઈને નાગપાડા મુંબઈ પહોંચાડવા જઈ રહ્યો હતો. પોલીસે તેના માટેના પરવાના અને દસ્તાવેજો માંગતા મોહમ્મદ પાસેથી કાંઈ મળ્યું નહોતું જેને પગલે પોલીસે ૧૫૦૦ કિ.ગ્રા. બળદનું માંસ અને ટેમ્પો જપ્ત કરીને ફરિયાદ નોંધાવી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
[…] પર વિષપ્રયોગથી 500થી વધુ ઝાડની કતલ મુલુંડ ઇસ્ટ આનંદ નગર ટોલનાકા પાસે માસ … પ્રાર્થનાસભા-મરણનોંધ ગોરેગાંવની […]