કલ્યાણ સ્થિત ઐતિહાસિક દુર્ગાડી ફોર્ટનો કેટલોક હિસ્સો ગુરૃવારે રાતે તૂટી પડયો હતો. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર શુક્રવારે વાઈરલ થયો હતો. કલ્યાણ ખાડી અને ઉલ્હાસ નદી પાસેના દુર્ગાડી ફોર્ટનું નિર્માણ ૧૭મી સદીમાં કરવામાં આવ્યું હતું. ૧૬૬૦ના દશકામાં આદિલ શાહ પાસેથી મરાઠા સૈન્યે ક્ષેત્ર કબજે કર્યું હતું તે પછી આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
એક રાજકીય પક્ષના નેતાએ કહ્યું કે પુરાતત્વ વિભાગ સાથે કેટલાક મતભેદોના પગલે ફોર્ટનું નવીનીકરણમાં વિલંબ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફોર્ટના રિનોવેશન માટે રૃ.૧૨.૫ કરોડ મંજૂર કર્યા હતા જેમાંથી રૃ.૨.૫૦ કરોડનો પ્રથમ હિસ્સો મોકલી આપવામાં આવ્યો છે.
દુર્ગાડી ફોર્ટ કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં પડે છે પણ તેનું નિયંત્રણ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ પાસે છે.
પાંચ વર્ષ અગાઉ ફોર્ટના બે ટાવરનો હિસ્સો પડી ગયો હતો જેનું રિપેરિંગ પીબલ્યુડીએ કરી આપ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw