શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ દ્વારા તેમના ‘કલચરલ ફોરમ’ના આશ્રયે સુગમ સંગીતનો કાર્યક્રમ ‘ગમતાનો કરીએ ગુલાલ’નું આયોજન શનિવારે ભુરીબેન ગોળવાલા સભાગ્રહમાં કરવામાં આવ્યું હતું. આ સંગીત મઢ્યા કાર્યક્રમના કલાકારો હતાં સુરેશ જોષી, રેખાબેન ત્રિવેદી, રાઘવ દવે, ભાવનાબેન ગડા અને રાજનભાઈ બ્રહ્મભટ્ટ.

હાલમાં જ સુરેશ જોષીને શ્રી હરીન્દ્ર દવે પારિતોષિક એનાયત થયું છે અને રેખાબેન ત્રિવેદીને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા ગિરનાર ઍવોર્ડ સહિત બંને કલાકારોએ અનેક પારિતોષિક પ્રાપ્ત કાર્ય કર્યું હોય તેઓનું ‘સમાજ’ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને શ્રોતાઓએ ખૂબ જ માણ્યો અને વખાણ્યો હતો. આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
