
બોરીવલી (પૂર્વ) અને ભાયખલામાં બાંધકામ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેતા એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો થયો હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે. છતાં બાંધકામ પર રહેલા પ્રતિબંધને લઈને આગળ શું પગલા તેના પર વિચારણા કરતા પહેલા આગામી ૨૪ કલાક માટે આ વિસ્તારોમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવવાની છે.
આ દરમિયાન કોલાબા-નેવી નગર અને ગોવંડી-શિવાજી નગર જેવા વિસ્તારમાં હજી પણ એક્યુઆઈ ઊંચો નંધાઈ રહ્યો છે. તેથી આગામી થોડા દિવસ સુધી એક્યુઆઈ ૨૦૦ની ઉપર જ રહે છે તો આ વિસ્તારોમાં કન્સ્ટ્રકશન સાઈટ પર કામ બંધ કરાવવા બાબતે વિચાર કરાશે એવું પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું.

મુંબઈ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સિદ્ધેશ કદમે જણાવ્યું હતું કે તાત્પૂરતી યોજનાને કારણે હાલ મુંબઈના પ્રદૂષણમાં થોડા સુધારો જણાયો છે, જોકે પ્રદૂષણને નાથવા માટે દીર્ધકાળની ઉપાયયોજના અમલમાં મૂકવાની છે. મુંબઈમાં હાલ અનેક ડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે, એ દરમિયાન એમપીસીપીબીએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટને બીકેસીમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટમાં પ્રદૂષણના નિયમનું પાલન નહીં કરવા બદલ નોટિસ મોકલી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
