
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચેની મુલાકાતથી રાજકીય અખાડામાં ફરીથી વાતાવરણ ગરમાયું છે. આ વિશે ભાજપ નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, આ એક સંવાદ છે, અમે સાથે મળીને ચૂંટણી લડીએ તે જરૂરી નથી. જેમનું વૈચારિક વલણ અમારી વિરુદ્ધ છે, તેમના મનમાં આ વિચાર પહોંચવો જોઈએ કે મજબૂત રાષ્ટ્રવાદ માટે, જે લોકો પરિવાર વિશે વિચારવાને બદલે દેશ વિશે વિચારે છે, તેઓએ સાથે બેસીને વિચાર કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ફડણવીસ અચાનક સોમવારે રાજ ઠાકરેને મળવા તેમના નિવાસસ્થાન શિવતીર્થ પર પહોંચ્યા હતા. એ બાદ રાજકીય નેતાઓમાં આ મામલે ગણગણાટ શરૂ થયો હતો.

મુનગંટીવારે આડકતરી રીતે ઉદ્ધવ ઠાકરને આડે હાથ લેતાં કહ્યું, કેટલાક પક્ષો રાજ્યના વિકાસમાં ફક્ત સ્પીડબ્રેકર બની જાય છે. રાજ ઠાકરે એવા નેતા નથી, તેઓ સ્પીડ બ્રેકરનથી બનતા પણ સૂચનો અને માર્ગદર્શન આપે છે. જો તેમનાં સૂચનો માન્ય હોય, તો સરકારે તેને સ્વીકારવા જોઈએ.હકીકતમાં, અમિત ઠાકરેને વિધાન પરિષદમાં લઈ જવા અંગે કોર ટીમમાં કોઈ ચર્ચા થઈ નથી. રાજ ઠાકરે પોતાના પુત્ર વિશે વિચારશે નહીં. જો તેઓ વિચારવા માગતા હોય તો પણ, તેઓ તેમના પક્ષના કોઈ સાથીદાર વિશે વિચારશે, એમ મુનગંટીવારે જણાવ્યું હતું. અજિત પવારે મનસે અંગે આપેલા નિવેદન અને સર્જાયેલા વિવાદ અંગે ચર્ચા કરવી જોઈએ. ફડણવીસે કહ્યું કે, ચર્ચા કરવાનો શું ફાયદો, મનસેએ અજિત પવારના નેતૃત્વ પર પ્રશ્નાર્થ ચિહન ઉઠાવ્યું છે. તેથી, તેમની પાસેથી આવો પ્રતિભાવ અપેક્ષિત છે, એમ પણ મુનગંટીવારે જણાવ્યું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
