
ઓડિટરની પણ પૂછપરછ કરાશેઃ ભૂતપૂર્વ અધિકારીનું નિવેદન નોંધાયું
ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ૧૨૨ કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં આર્થિક ગુના શાખાએ બૅન્કની બન્ને શાખાનો પાંચ વર્ષનો ઓડિટ રિપોર્ટ મગાવ્યો હતો. આ કેસમાં અધિકારીઓ બેંકના વ્યવસાય સંબંધી ઓડિટરની પણ પૂછપરછ કરવા માગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આર્થિક ગુના શાખાએ આ પ્રકરણની વધુ વિગતો જાણવા માટે બૅંકના એક ભૂતપૂર્વ અધિકારીનું નિવેદન નોંધ્યું હતું.

બેંકમાંથી નાણાંની ઉચાપતનો મામલો સામે આવ્યા પછી આર્થિક ગુના શાખાએ આ કેસમાં બૅંકના ભૂતપૂર્વ જનરલ મૅનેજર અને એકાઉન્ટ્સ હૅડ હિતેશ પ્રવીણચંદ્ર મહેતા અને કાંદિવલીના ડેવલપર ધર્મેશ પૌનની ધરપકડ કરી હતી. જોકે પૂછપરછ દરમિયાન બન્નેનાં નિવેદન વિરોધાભાસી હોવાનું જણાયું હતું. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બૅકની પ્રભાદેવી અને ગોરેગામ શાખામાંથી ૧૨૨ કરોડ રૂપિયાની ઉચાપત કરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ કૌભાંડની બારીકાઈથી તપાસ કરવા માટે આર્થિક ગુના શાખાએ બેંકના પાંચ વર્ષના ઓડિટ રિપોર્ટ મગાવ્યા છે. સાથે ઓડિટ કરનારાને પણ પૂછપરછ માટે બોલાવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
