શ્રી શાસન સમ્રાટ શ્વે.મૂ.તપા. જૈન સંઘ તાંબેનગર મુલુન્ડ (વેસ્ટ)ને આંગણે વર્ષીતપના સામૂહિક પારણાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સળંગ વર્ષીતપના ભીષ્મ તપસ્વી શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. સમુદાયના પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી રાજરત્નવિજયજી મ.સા. આદિ ઠાણા તથા પૂ. સાધ્વીજી ભગવંત પૂર્ણ પ્રભાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં મંગળમય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વૈશાખ સુદ બીજ ગુરુવાર,તા.૯-૫-૨૪ના પ્રથમ દિવસે સવારે ૭ કલાકે નૈવેદ ઉત્સવ, સાંજે ૭ કલાકે સંધ્યા ભક્તિ રહેશે. વૈશાખ સુદ ૩ શુક્રવાર, તા.૧૦- ૫-૨૪ના સવારે આદિનાથ દાદાનો પ્રક્ષાલ અને સવારે ૮.૩૦ કલાકે વર્ષીતપના તપસ્વીઓની શોભાયાત્રા આદિનાથ જિનાલયથી સ્ટેશન થઈ નેમિસૂરી આરાધના ભવન ઉતરશે. શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે તપસ્વીઓના શાહી પારણા શ્રી નેમિસૂરી આરાધના ભવન તાંબેનગર ખાતે શ્રી શાસન સમ્રાટ સંઘ દ્વારા યોજાશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “મુલુંડ તાંબેનગર જૈન સંઘમાં વર્ષીતપના સામૂહિક પારણાનું આયોજન”
  1. […] હાર, પોઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર મુલુંડ તાંબેનગર જૈન સંઘમાં વર્ષીતપના… પ્રાર્થનાસભા-મરણનોંધ મુંબઇ એરપોર્ટ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us