મુંબઈ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ વોર્ડ દ્વારા આગામી ગર્ડરના કામ માટે મુલુંડ ટ્રાકિક વિભાગે આ વિસ્તારમાં વાહનોની અવરજવરને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે.
ગર્ડરના કામને કારણે મુલુંડ-ગોરેગાંવ લિંક રોડ પર નાહુર ઓવર બ્રિજ પરના બંને બાઉન્ડ્સને સંપૂર્ણ રીતે બંધ કરવાની જરૂર પડશે. મુસાફરોને અસુવિધા ઘટાડવા માટે નીચેના આદેશો જાહેર કરવામાં આવ્યા છે

રસ્તો બંધ
નાહુર રેલ્વે ઓવર બ્રિજ, મુલુંડ-ગોરેગાંવ લિક રોડ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ પરના બંને બાઉન્ડ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

રોડ ડાયવર્ઝનઃ

  1. નાહુર રેલ્વે ઓવર બ્રિજથી ઇસ્ટર્ન એક્સપ્રેસ વે તરફ જતા વાહનોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે એલબીએસ રોડ- જટા શંકર ડોસા રોડ પરના બ્રિજનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
  2. પૂર્વ એક્સપ્રેસ વે અને ઐરોલી થઈને મુલુંડ વેસ્ટ તરફ જતા વાહનોને નવઘર જંકશનથી જટા શંકર ડોસા બ્રિજનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. ઐરોલી થઈને ભાંડુપ પશ્ચિમ તરફ જતો ટ્રાફિક ગાંધીનગર જંકશનથી ડાયવર્ટ થઈને જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ પર લઈ તેમના ગંતવ્ય સ્થાને પહોંચાશે
    આ ટ્રાફિક એડવાઇઝરીનો ઉદ્દેશ્ય ટ્રાફિકને સરળ બનાવવા અને ગર્ડરના કામના સમયગાળા દરમિયાન મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. મુસાફરોને ટ્રાફિક વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ તે મુજબ તેમના રૂટનું આયોજન કરવા અને અસુવિધા ઘટાડવા માટે ટ્રાફિક સત્તાવાળાઓને સહકાર આપે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us