હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે નૈઋત્યનું ચોમાસુ આવતા ચાર -પાંચ દિવસ દરમિયાન અરબી સમુદ્રના મધ્ય હિસ્સામાં, કર્ણાટકના બાકીના વિસ્તારો, ગોવા, દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગળ વધે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોંકણની સમુદ્રપટ્ટી મુંબઇથી શરૃ થઇને છેકે સિંધુદુર્ગ અને ગોવા સુધી ફેલાયેલી છે. ઉત્તર કોંકણમાં મુંબઇ,થાણે, પાલઘર,રાયગઢનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ કોંકણમાં રત્નાગિરિ, સિંધુદુર્ગનો સમાવેશ થાય છે. તમામ કુદરતી પરિબળો સાનુકુળ રહેશે તો મેઘરાજાની સવારી દક્ષિણ મહારાષ્ટ્રમાં ૭ ,૮ — જૂન દરમિયાન અને ૧૦,૧૧ -જૂન દરમિયાન મુંબઇના આંગણે આવી પહોંચે તેવી પૂરી શક્યતા છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/62-18.jpg)
હવામાન વિભાગે એવો સંકેત પણ આપ્યો છે કે હાલ મહારાષ્ટ્રમાં ,ખાસ કરીને દક્ષિણ કોંકણમાં અને મધ્ય મહારાષ્ટ્રમાં પ્રિ -મોન્સુન શાવર્સ(ચોમાસા પહેલાંનો વરસાદી માહોલ)નું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. વરસાદી ગતિવિધિ વધી રહી છે. સાથોસાથ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના,વીજળીના ચમકારા સાથે હળવી વર્ષા પણ થઇ રહી છે. મહારાષ્ટ્ર માટે આ બધાં કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં છે તે સારો સંકેત છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/06/07-541x1024.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)