- અભિનેત્રીઓના અંગોને ખોટા એંગલથી ઝૂમ કરવાને મુદ્દે જાહેર કરી નારાજગી
- પાપારાઝીની આ હરકત પરેશાન કરનારી છે : મોનાસિંહ
- અભિનેત્રી મોનાસિંહ તેમની આગામી ફિલ્મ ‘મુંજ્યા’ના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત
પાપારાઝી દ્વારા અભિનેત્રીઓની ખોટા એંગલથી લેવાતી રહેતી તસવીરો અને ખેંચાતા વીડિયોને મુદ્દે અભિનેત્રીઓ હવે ખુલ્લા મને બોલવા લાગી છે.
બોલિવૂડની અનેક અભિનેત્રી પાપારાઝીની આવી પ્રવૃત્તિની નિંદા કરી ચૂકી છે. અભિનેત્રી મોનાસિંહ અને નેહા શર્મા પણ પાપારાઝીની આ પ્રવૃત્તિ પરેશાન કરનારી હોવાનું જણાવી ચૂકી છે. અભિનેત્રી મોનાસિંહે મંજૂરી વિના પાપારાઝી દ્વારા અભિનેત્રીઓની લેવાતી તસવીરો અને વીડિયો,તેમ જ ખોટા એંગલથી ઝૂમ કરવાની પ્રવૃત્તિની ટીકા કરી હતી.
આ મુલાકાતમાં મોનાસિંહે પાપારાઝી દ્વારા થતા કવરેજના બેવડા માપદંડો તરફ પણ લોકોનું ધ્યાન દોર્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે મહિલાઓને અપમાનનો સામનો કરવો પડે છે. પુરુષોની તસવીરો ખેંચતી વખતે પાપારાઝીઓ આવું કેમ નથી કરતા? મોનાસિંહે કહ્યું કે,’પાપારાઝી અયોગ્ય રીતે મહિલાના શરીર તરફ લોકોનું ધ્યાન દોરવા પ્રયાસ કરે છે. શું તેઓ પુરુષના શરીરના કોઈક અંગને ઝૂમ કરશે? ના તેઓ એક પણ પુરુષ સાથે એવું નહીં કરે. પરંતુ તમામ મહિલા સાથે એવું જ કરશે.’
અભિનેત્રી મોનાસિંહ તેમની આગામી ફિલ્મ ‘મુંજ્યા’ના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે. પાપારાઝી તેમના કવરેજમાં સનસનાટી ભરવા માટે વોર્ડ રોબ માલફન્ક્શનનો આશરો લઈ રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. મોનાસિંહે કહ્યું કે તમે પુરસ્કાર સમારંભમાં ગયા હોય કે પછી કોઈક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હોય ત્યારે આવી વીડિયો બનતા રહેતા હોય છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw