
મુંબઈમાં ગયા વર્ષે બે મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી આ વર્ષે વધુ મેટ્રો ટ્રેન ઝડપથી શરુ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે, દહિસર-મીરા ભાયંદર અને અંઘેરી-એરપોર્ટ માટેની મેટ્રો આ વર્ષના અંત સુધીમાં શરુ થશે નહીં.
દહિસર-મીરા-ભાયંદર મેટ્રો 9 અને અંધેરી પૂર્વ-છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ મેટ્રો 7એ લાઇનનું નિર્માણ હાલ મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટરોને બંને લાઇન પર કામ માટે મુદત વધારી આપવામાં આવી છે. મેટ્રો 9 લાઈનની મુદત જૂન 2025 સુધી અને મેટ્રો 7 એ જુલાઈ 2026 સુધી વધારવામાં આવી છે. પરિણામે મુંબઈગરાઓએ આ બે રૂટ પર મુસાફરી કરવા માટે રાહ જોવી પડશે.

દહિસર-મીરા-ભાયંદર મેટ્રો 9 લાઈન પર હાલ કામકાજ ચાલી રહ્યું છે. આ રૂટ ઉત્તન સુધી લંબાવવામાં આવશે. અત્યાર સુધીમાં લાઇનનું 92 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. મેટ્રો 7એ દહિસરથી ગુંદવલી, અંધેરી પૂર્વ મેટ્રો 7 રૂટના ગુંદવલી, અંધેરી (પૂર્વ)થી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી લંબાવવામાં આવી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
