મુલુંડ વેસ્ટ આર એચ બી રોડ ખાતે પાલિકા દ્વારા ગટર આદિ બીજા કામ કેટલાક દિવસોથી. હાથ ધરવામાં આવ્યા છે પરંતુ તે નક્કી કરેલ સમય મર્યાદામાં પૂરું ન થતા ત્યાંના સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે કારણ કે મહાપાલિકાના આ ગોકળગતીએ ચાલતા કામથી અહીંના સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

આ અંગે આર એચ બી રોડ સ્થિત પ્રેમ ઠાકર બિલ્ડીંગના સેક્રેટરી કમલેશ ઠક્કરે ગુર્જરભૂમિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કામ દરમિયાન કર્મચારીઓ દ્વારા ઈલેક્ટ્રીક કેબલ તૂટી જાય છે જેના કારણે અહીં લાઈટના ધાંધિયાનો પ્રોબ્લેમ પણ સામે આવી રહ્યો છે. કર્મચારીઓની બેદરકારીથી પાણીની લાઈન તૂટી જતા હજારો લીટર પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે. આ ઉપરાંત ગટરના કામ માટે પ્રશાસન દ્વારા આ રોડ પર 1.5થી 2 મીટરના ખાડા ખોદી દેવામાં આવ્યા છે જેના કારણે સ્થાનિકોને તથા સિનિયર સિટીઝનોને બિલ્ડીંગથી બહાર અવરજવરમાં તકલીફ પડી રહી છે. અમને અમારી ગાડીઓ પણ બહાર મૂકવાની ફરજ પડી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આર એચ બી રોડ પર શામરાવ વિઠ્ઠલ બેંકથી લઈને ગણેશ ગાવડે રોડ જંકશન સુધી સંપૂર્ણ રોડ પર આ જ હાલત છે. અમે આ સંદર્ભે અમારા જન પ્રતિનિધિઓને પણ ફરિયાદ કર્યા હોવા છતાં પણ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. જેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ કારણે અહીંના સ્થાનિકોએ પ્રશાસન તથા જન પ્રતિનિધિઓને આ બાબતે હસ્તક્ષેપ કરી વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરી સ્થાનિકોની પરેશાની દૂર કરવા અનુરોધ કર્યો છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us