મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથના 14 વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાના ઇનકારને પડકારતી મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથની અરજીમાં મુંબઈ હાઈ કોર્ટે તમામ પ્રતિવાદીઓને નોટિસ જારી કરી છે. પ્રતિવાદીમાં 14 વિધાનસભ્યો, સ્પીકર રાહુલ નાર્વેકર અને મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલયનો સમાવેશ થાય છે. જસ્ટિસ જીએસ કુલકર્ણી, અને ફિરદોશ ફિરોઝ પૂનીવાલાની બનેલી ડિવિઝન બેન્ચે આદેશમાં જણાવ્યું હતું કે, આ અરજીઓ પર પ્રતિવાદીઓએ 1 ફેબ્રુઆરી સુધી નોટિસનો જવાબ આપવા કહ્યુ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp