
ગરમીની શરુઆત થઈ ગઈ છે. ઉનાળાની ઋતુ દરમિયાન બપોરે ભોજનમાં કાચી ડુંગળી ખાવાનું રાખવું જોઈએ. તેનાથી લૂ નથી લાગતી અને અન્ય જૂની બીમારીઓ પણ મટવા લાગે છે.
ડુંગળીનો ઉપયોગ શાક, દાળ અને સલાડમાં કરવામાં આવે છે. ડુંગળી ઉમેરવાથી ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે. ડુંગળી એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે. ઉનાળામાં તો ડુંગળી શરીર માટે ઔષધી જેવું કામ કરે છે. ગરમીના દિવસોમાં બપોરના ભોજન સાથે કાચી ડુંગળી ખાવી જોઈએ. કાચી ડુંગળી શરીરને અનેક ફાયદા કરે છે.
કાચી ડુંગળીને સલાડ તરીકે, રાયતામાં કે ચાટમાં ઉમેરીને ઉપયોગમાં લઈ શકાય છે. ડુંગળી સ્વાદિષ્ટ હોવાની સાથે શરીરને લાભ પણ કરે છે. જો તમે ઉનાળામાં બપોરે ડુંગળી ખાવ છો તો શરીરને કયા લાભ થાય છે ચાલો તમને જણાવીએ.
ઉનાળામાં ડુંગળી ખાવાથી થતા લાભ

1. ડુંગળીમાં એવા પોષક તત્વ હોય છે જે શરીરને ફાયદો કરે છે. ડુંગળી સોડિયમ, પોટેશિયમ, વિટામિન ઈ, ફોલેટ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે એ હાડકાને મજબૂત બનાવે છે.
2. કાચી ડુંગળીમાં ડાયટરી ફાઇબર હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. ડુંગળી ખાવાથી ડાયજેશન સુધરે છે અને કબજિયાત, એસિડિટી, પેટમાં ગેસ જેવી તકલીફો ઓછી થાય છે.
3. કાચી ડુંગળી સલ્ફરથી ભરપૂર હોય છે. હાડકા માટે જરૂરી ફોસ્ફરસ પણ ડુંગળીથી મળી જાય છે. રોજ બપોરના ભોજન સાથે એક ડુંગળી ખાવાથી હાડકાની સ્ટ્રેન્થ વધે છે.
4. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી વધારે ફાયદાકારક છે કારણ કે ડુંગળી ખાવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ડુંગળીમાં ક્રોમિયમ નામનું તત્વ હોય છે જે બ્લડ સુગર લેવલને વધતું અટકાવે છે.

5. એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરેલી ડુંગળી શરીરને બીમારીઓથી સુરક્ષિત રાખે છે. કાચી ડુંગળી ખાવાથી ઈમ્યુમ પાવર વધે છે જેના કારણે વારંવાર શરદી, ઉધરસ જેવી તકલીફો થતી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
