નાળિયેર પાણી પીવાથી શરીરની ઘણી બધી બીમારી અને સમસ્યા દૂર થાય છે. પરંતુ જો તમે આ નાળિયેર પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવો છો તો તે વધારે ફાયદાકારક બની જાય છે.

રોજ એક નાળિયેરનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. નાળિયેર પાણી પીવાથી બોડી હાઇડ્રેટ રહે છે અને સાથે જ શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. નાળિયેર પાણીમાં કેલેરી પણ ઓછી હોય છે. નાળિયેર પાણી પીવાથી શરીરની ઘણી બધી બીમારી અને સમસ્યા દૂર થાય છે. પરંતુ જો તમે આ નાળિયેર પાણીમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવો છો તો તે વધારે ફાયદાકારક બની જાય છે. નાળિયેર પાણીમાં જો તમે તકમરીયા એટલે કે ચિયા સીડ્સ ઉમેરીને પીવો છો તો શરીરને સૌથી વધુ ફાયદા થાય છે. 

નાળિયેર પાણીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ઇલેક્ટ્રોલાઇટ અને વિટામિન્સ હોય છે. તેને પીવાથી શરીરમાંથી પાણીની કમી દૂર થાય છે અને તુરંત એનર્જી મળે છે. સાથે જ ચિયા સીડ્સમાં પણ ઘણા બધા પોષક તત્વો હોય છે. સાદા પાણીમાં તકમરીયા પીવાને બદલે જો નાળિયેર પાણીમાં તેને પીવાનું રાખવામાં આવે તો વજન ઓછું કરવાથી લઈને ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ માં પણ ફાયદો થાય છે.

નાળિયેર પાણી સાથે ચિયા સીડ્સ પીવાથી થતા ફાયદા

– નાળિયેર પાણીમાં જો તમે તકમરીયા પલાળીને પીવો છો તો તેનાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યામાં ફાયદો થાય છે. ખાસ કરીને જે લોકોને વારંવાર એસીડીટી થતી હોય, અપચો થતો હોય કે ગેસની સમસ્યા રહેતી હોય તેમણે નાળિયેર પાણીમાં તકમરીયા પીવા જોઈએ તેનાથી સમસ્યાથી રાહત મળે છે.

– નાળિયેર પાણી અને તકમરીયા એક સાથે લેવાથી વજન ઝડપથી ઓછું થાય છે. તેમાં ઘુલનશીલ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us