
ગોહિલવાડ દશા શ્રીમાળી મહિલા મંડળ મુંબઈ તરફથી 50 સીલીંગ પંખા તેમજ ઈનરવ્હીલ ક્લબ ઓફ મુલુન્ડ તરફથી ૩૩ ખુરશીઓ (પ્રોજેક્ટ ખર્ચ – પંખા રૂપિયા 1,50,000 અને ખુરશીઓ રૂપિયા 1,70,000 ટોટલ ખર્ચ ૩,૨૦,૦૦૦/-) આનંદ વૃદ્ધાશ્રમ પાલઘર ખાતે અપાઈ હતી. ગોહિલવાડ દશા શ્રીમાળી મંડળના પ્રમુખ અનસુયાબેન શાહ, ચેરમેન કુસુમબેન સરવૈયા, માનદ મંત્રી પ્રફુલ્લાબેન મોદી તેમજ ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ નુતન ધુલ્લા, પૂર્વ પ્રમુખ તૃપ્તિ શાહ અને પૂર્વ પ્રમુખ રશ્મિ ભટનાગર વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયા હતા.


આનંદ વૃદ્ધાશ્રમમાં રહેવાસી વૃદ્ધ ભાઈઓ-બહેનો સાથે વાતચીત કરવાનો મેમ્બરોને ખૂબ આનંદ થયો. દરેકની વાતચીત પરથી જાણવા મળ્યું કે તેઓની આશ્રમમાં સારી સાર-સંભાળ રખાય છે. તેઓ સર્વે ખૂબ આનંદથી રહેતા હતા અને સર્વે ખુશ લાગતા હતા. ત્યાંના મુખ્ય કાર્યકર શ્રીમતી મનીષાબેન કોટક તેમજ રશ્મિબેનએ તમામ મેમ્બરોનું સ્વાગત કર્યું હતું અને આભાર માનતા જણાવ્યું કે મહિલા મંડળે આપેલ પંખા લગાડ્યા પછી ઈલેકટ્રીકનું બિલ રૂ. ૧૦,૦૦૦/- ઓછુ આવ્યું છે. દર મહિનાની રૂ. ૧૦,૦૦૦ની આશ્રમની બચતના યશના ભાગીદાર ગોહિલવાડ દશા શ્રીમાળી મહિલા મંડળની બહેનો છે. આભાર દર્શન કર્યા બાદ બધાએ બપોરનું જમણ કર્યું અને થોડો સમય વૃદ્ધાશ્રમમાં જ માણ્યો. અહીં ભોજનના દાતા સંસ્થાના સભ્ય વીણા દુવા હતા. એમ અખબારી યાદીમાં શ્રીમતી અનસુયાબેન શાહે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
