
મુંબઈના ઘાટકોપર ખાતે મહાકાય લોખંડનું હોર્ડિંગ તૂટી પડતા થયેલી દુર્ઘટના પ્રકરણે જાહેરાત કંપનીની જાન્હવી મરાઠેને સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. આ પ્રકરણે મુખ્ય આરોપી ભાવેશ ભીંડે જામીન પર બહાર છે અને એણે પ્રકરણમાંથી પોતાને દોષમુક્ત કરવા માટે કોર્ટમાં અરજી કરી છે.
મરાઠેએ પહેલાં સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે દાદ માગી હતી. જો કે સેશન્સ કોર્ટે એને રાહત આપવાનો નકાર આપ્યા પછી એણે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી ફગાવી દેવાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી જાન્હવીએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ એણે ફરીથી જામીન માટે અરજી કરી હતી. તેની અરજી પર ચુકાદો આપતા સેશન્સ કોર્ટે તેના જામીન મંજૂર કર્યા હતા.

આ હોર્ડિંગ લગાડનાર ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડમાં સંચાલક પદે પોતે કાર્યરત હતો. પણ ડિસેમ્બર 2023માં પદ પરથી રાજીનામુ આપ્યું હતું. આ પ્રકરણના મુખ્ય આરોપી અને કંપનીના વિદ્યમાન સંચાલક ભાવેશ ભીંડેના કાર્યકાળમાં આ હોર્ડિંગ લગાડવામાં આવ્યું હતું. આ હોર્ડિંગ બાબતના કરાર પર પોતે ફક્ત સહી કરી હતી. આ જ કારણોસર પોતાના પર કાર્યવાહી કરવામાં આવી. પણ આ પ્રકરણમાં ખરો ગુનેગાર ભાવેશ ભીંડે છે અને પોતાને બલીનો બકરો બનાવવામાં આવી રહી છે એવો દાવો જાન્હવીએ જામીનની માગણી કરતા કર્યો હતો.
ઉપરાંત પ્રકરણના મુખ્ય આરોપી ભાવેશ ભીંડેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તેથી પોતાના જામીન પણ મંજૂર કરવાની માગણી એણે કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8