
ઘાટકોપર (પૂર્વ)માં ઓડિયન મોલ નજીક આવેલા કૈલાશ પ્લાઝામાં બિલ્ડિંગમાં શુક્રવારે વહેલી સવારના આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ઘાટકોપર (પૂર્વ)માં આર.એન. ભાટકર માર્ગ પર ઓડિયન મોલ નજીક કૈલાશ પ્લાઝા નામની કમર્શિયલ બિલ્ડિંગ આવેલી છે.

શુક્રવારે વહેલી સવારના લગભગ ૬.૧૫ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળા પર અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડને કલાકોની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં ત્રીજા અને ચોથા માળા પર નુકસાન થયું હતું. દિવસ દરમિયાન ચર્ચગેટમાં પણ ઈન્કમટેક્સ ઓફિસ નજીક મરીન લાઈન્સમાં એક રહેણાંક ઈમારતના ચોથા માળ પર આવેલા ફ્લેટમાં બપોરના સમયે મામૂલી આગ લાગી હતી. જોકે તેને તુરંત બુઝાવી દેવામાં સફળતા મળી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
