તળ મુંબઈમાં વાલકેશ્વર (મલબાર હિલ) વિસ્તારમાં ઐતિહાસિક બાણગંગા તળાવને પુનર્જીવિત કરવાનું પહેલા તબક્કાનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. હાલમાં 16 દીપસ્તંભ પુનર્જીવિત કરવાનું કામ પૂર્ણતાને આરે છે. ઉપરાંત તળાવના પથ્થરનાં પગથિયાંની દુરસ્તી અને સુધારણા પર છે.

વારાણસીની જેમ તળાવકાંઠે વર્તુળાકાર ભક્તિ પરિક્રમા માર્ગ રચવામાં આવશે. આ નવીનીકરણનું કામ ત્રણ તબક્કામાં કરવામાં આવશે.

પહેલાં તબક્કામાં પથ્થરના પગથિયાંનું સમારકામ, તળાવ પરિસરના દીપસ્તંભને પુનઃ બાંધણી, આકર્ષક રોશની કરવામાં આવશે. બીજા તબક્કામાં તળાવની આસપાસના ઘરોમાં એકસરખો રંગ કરવામાં આવશે. રામકુંડ પુનર્જિવીત કરવામાં આવશે. મંદિરની જાળવણીનું કાર્ય કરાશે.

ત્રીજા તબક્કામાં બાણગંગા અને અરબી સમુદ્રના કિનારા વચ્ચે માર્ગ તૈયાર કરવામાં આવશે. આ માટે સૌથી પહેલાં તો જે ઝૂંપડપટ્ટીઓ હટાવીને ઝૂંપડાવાસીઓનું પુનર્વસન કરવામાં આવશે. અત્યાર સુધીમાં પગથિયા પાસેથી ૧૩ ઝૂંપડા હટાવીને તેના રહેવાસીઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us