September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

સાવધાન… જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો…

વાઈરલ થઈ રહેલાં આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઘરમાં હાલમાં જ સંપન્ન થયેલાં આ ખુશહાલી પ્રસંગે મુકેશ અંબાણી રિલાયન્સ જિયો યુઝર્સને ત્રણ મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપી રહ્યા છે. આ મેસેજ હિંદીમાં હોઈ ફ્રી રિચાર્જ મેળવવા માટે એક લિંક પર ક્લિક કરવાનું જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ શું છે આ મેસેજ પાછળની સચ્ચાઈ…

મળી રહેલી માહિતી પ્રમાણે આ મેસેજ સદંતર ફેક હોવાનું જાણવા મળ્યું છે. રિલાયન્સ જિયો દ્વારા આવી કોઈ ઓફર યુઝર્સને આપવામાં નથી આવી અને વાઈરલ થઈ રહેલો આ મેસેજ ફેક હોઈ તેના પર વિશ્વાસ નહીં કરવાની અપીલ પણ રિલાયન્સ જિયો દ્વારા કરવામાં આવી રહી છે. આ મેસેજમાં 12મી જુલાઈના રોજ અનંત અંબાણીના લગ્ન નિમિત્તે મુકેશ અંબાણી દેશભરના જિયો યુઝર્સને ત્રણ મહિના માટે 799 રૂપિયાનું રિચાર્જ ફ્રીમાં આપવામાં આવશે. આ માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાનું જણાવવામાં આવ્યું છે. આ મેસેજમાં મહાકેશબેક નામની અજાણી સાઈટની લિંકનો સમાવેશ થાય છે.

સાઈબર એક્સપર્ટ્સ દ્વારા પણ યુઝર્સને આવી કોઈ પણ શંકાસ્પદ લાગતી લિંક પર ક્લિક નહીં કરવાની અપીલ કરવામાં આવી છે. જિયો યુઝર્સે ઓફિશિયલ માય જિયો એપ પર કે પછી ગૂગલ પે જેવી વિશ્વસનીય ઓનલાઈન એપની મદદથી જ રિચાર્જ કરવાની સલાહ પણ આપવામાં આવી છે. વાઈરલ ફેક મેસેજમાં ફેક લિંક આપવામાં આવી છે. આવી ફેક લિંક પર ક્લિક કરવાથી તમારું એકાઉન્ટ પણ ખાલી શઈ શકે છે, એવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.

વોટ્સએપ પર ફેક કે સ્કેમ મેસેજ ઓળખીને આપણે કોઈ પણ ફ્રોડ કે સ્કેમનો ભોગ બનતાં બચી શકીએ છીએ. વાત કરીએ કે વોટ્સએપ કે એસએમએસમાં આવેલા મેસેજ સાચા છે કે ખોટા એ કઈ રીતે ઓળખવાની તો આ માટે સૌથી મહત્ત્વની વાત એટલે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજ પર ક્લિક કરવાનું ટાળો. એમાં પણ ખાસ કરીને એવા મેસેજ પર કે જેના પર લિંક પર ક્લિક કરવાની સૂચના આપવામાં આવી હોય. આવા મેસેજ ફેક હોઈ શકે છે અને એવા મેસેજ ફોર્વર્ડ કરવાનું પણ ટાળો.

સાઈબર ક્રિમીનલ લોકોને છેતરવા માટે નિતનવા ગતકડાં અજમાવતા હોય છે અને લોકો એનો ભોગ બનતા હોય છે. દેશમાં હાલમાં સૌથી વધુ ઓનલાઈન ફ્રોડના કેસ નોંધાઈ રહ્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us