મુલુન્ડ (ઈ)માં ૯૦ ફીટ રોડ સ્થિત ત્રિરત્નદીપ સોસાયટીની ચેકબુકમાં અધ્યક્ષ, સેક્રેટરી અને ખજાનચીની સહી કરેલા ચેકને વટાવીને પોતાના પર્સનલ બેંક ખાતામાં રૂા. ૧૪.૪૫ લાખ જમા કરાવનાર અકાઉન્ટન્ટના મદદનીશ ગંગાધર ચાળકે વિરૂદ્ધ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/06/09.jpg)
ફરિયાદ મુજબ સોસાયટીએ २०१८-२० દરમ્યાન સોસાયટીના હિસાબ કિતાબના કામકાજ માટે અકાઉન્ટન્ટ તરીકે થાણેમાં રહેતા સંદેશ કદમ નામના વ્યક્તિને નીમ્યો હતો અને સંદેશે ડોંબિવલીમાં રહેતા ગંગાધર ચાળકેને તેના મદદનીશ તરીકે રાખ્યો હતો. દરમ્યાન સોસાયટીની કમિટિના ધ્યાનમાં આવ્યું કે ઓગસ્ટ ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૧૯ દરમ્યાન સોસાયટીના ચાર ચેક દ્વારા રૂા. ૧૪.૪૫ લાખની હેરાફેરી થઈ છે તેથી તેમણે સંદેશ અને ગંગાધરેને બોલાવીને આ અંગે પૂછતાછ કરતાં સંદેશને આ અંગે કશી ખબર નહોતી અને ગંગાધરની કડક પૂછતાછ કરાતા તેણે વટાણા વેરી નાખ્યા હતા તેથી સોસાયટી કમિટિએ તેની પાસે ઉઘરાણી ચાલુ કરતાં ગંગાધરેએ ૨૦૨૧માં રૂા.૨ લાખનો ચેક આપ્યો હતો.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/06/18-1024x636.jpg)
ત્યારબાદ સોસાયટીના કમિટિ મેમ્બરો અનેક વખત તેના ઘરે જઈને બાકીની રકમ રૂા. ૧૨.૪૫ લાખની માંગણી કરી પરંતુ ગંગાધરેએ આજ-કાલ કરીને આજ સુધી સોસાયટીના રુપિયા પરત ન કરતાં સોસાયટીના ૨૦૦૬ થી ૨૦૨૨ સુધીના અધ્યક્ષ રહેલા સદાશીવ દાભાડેએ ગંગાધરે વિરૂદ્ધ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/06/29-1024x1011.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)