
GURJARBHOOMI :
અંબા એન્ટરટેનર્સ, પદ્માવતી એન્ટરટેન્મેન્ટ અને ગુર્જરભૂમિ (ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ, ન્યુઝ પોર્ટલ) દ્વારા શનિવાર તા. 15 માર્ચ 2025ના રોજ કાલિદાસ નાટયમંદિર મુલુંડ ખાતે સંગીતમય કાર્યક્રમ ‘ધ ક્રેઝી કુમાર્સ’ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઈવ ઓર્કેસ્ટ્રા ઈવેન્ટના સર્પોટીંગ પાર્ટનર વોઈસ ઓફ ઈન્ડિયનના પ્રકાશ ચંદે અને ઉમેશ વિછી હતા. કાર્યક્રમના મુખ્ય અતિથી વિશેષ તરીકે મુલુંડના સમાજશ્રેષ્ઠી હીરાલાલભાઈ મૃગ હતા.

















સંગીત દરમ્યાન તમામ ગાયકોએ સંગીતપ્રેમીઓને પોતાના સુરીલા અવાજના જાદુથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ગાયકોમાં રાજેશ ઐયર, આલોક કટદારે, ધનથી દેશપાડે, ઈતિ કર, મધુરા દેશપાંડે અને મ્યુઝીક અજય મદન તથા પ્રસાદ પાઠારે, સાઉન્ડ નિતીશ ફણસે તથા એન્કર વિનાયક શિંદેએ લોકોનું ખૂબજ સરસ મનોરંજન કર્યું હતું. સ્ટુડીયો પાર્ટનર મ્યુઝિક જંક્શન તથા સ્પેન્સર્સમાં પવિત્રમ ડાયમન્ડ જવેલરી, ઈશાન ડેવલપર્સ, ઈમ્પલ્સ સ્કીન ક્લીનીક (ભાવનાબેન શેઠ), મેંગો ૬ સલોન એન્ડ સ્પા, બોસ સ્ટુડીયો, ઘ પેલેસ બેન્કવેટ, ડમરુ મેન્સ વેઅર, સારંગમ એથનીક વેર, કમલેશ ફરસાણ, ફ્લેર્મીંગો ટ્રાન્સવર્લ્ડ, ડવ ટુર્સ, રેડ એન્ડ ઓરેન્જ બ્યુટી લોંજ આદિ હતા.



















સદાબહાર કિશોર કુમાર તથા અમીત કુમારના ગીતોને સાંભળી શ્રોતાઓએ ગાયકોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આલોક કટદારેના જોશીલા ગીત દરમ્યાન તો લોકો જોશભેર નાચી ઉઠ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ઓડીયન્સનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા અંબા એન્ટરટેનર્સના અનિલ શેટ્ટી, પદ્માવતી એન્ટરટેન્મેન્ટના પ્રદીપ નાયર, શેખર દાતે, ગુર્જરભૂમિના શાંતિલાલભાઈ ઠક્કર, મનિષ ઠક્કર, વૈશાલી ઠક્કર, વોઈસ ઓફ ઈન્ડિયનના પ્રકાશ ચંદે તથા ઉમેશ વિંછી આદિએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

















Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
